|

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના લગ્નની વચ્ચે કોકિલાબેન ના જન્મદિવસની થઈ ભવ્ય ઉજવણી ગુજરાતના ખાસ મંદિરની લીધી મુલાકાત આ મંદિરનું નામ જાણી તમે પણ ખુશ થઈ જશો.

સમગ્ર અંબાણી પરિવારમાં લગ્નની શરણાઈઓ ગુંજવા લાગી છે આ લગ્નમાં પહેલેથી જ લગ્નની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ લગ્ન સમારોહમાં અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજરી આપશે તેવી સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે. તેની સાથે સાથે હજુ એક ખુશીના સમાચાર સામે આવ્યા છે આ લગ્નની તૈયારીઓ વચ્ચે 24 ફેબ્રુઆરીના રોજ કોકીલા બહેને પોતાનો 90 મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેમના આ જન્મદિવસમાં અંબાણી પરિવારના તમામ સભ્યો હાજર રહ્યા હતા ત્યારબાદ કોકીલાબેન પોતાના સમગ્ર પરિવાર સાથે શ્રીનાથજી મંદિર દર્શન કરવા માટે ગયા હતા.

ત્યાં જઈને પોતાના સમગ્ર પરિવાર સાથે ભગવાન શ્રીનાથજીના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી. અંબાણી પરિવાર આટલા અમીર હોવા છતાં પણ પોતાના સંસ્કાર અને ધર્મને ક્યારેય ભૂલ્યા નથી તેઓ હંમેશા અનેક મંદિરોમાં દર્શન કરતાં જોવા મળે છે. અંબાણી પરિવાર ભગવાનમાં અતુલ શ્રદ્ધા તથા વિશ્વાસ ધરાવે છે

આ જ શ્રદ્ધા અને વિશ્વાસ ના કારણે આજે અંબાણી પરિવાર દરેક સફળતા પોતાના જીવનમાં પ્રાપ્ત કરે છે અંબાણી પરિવારના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે તેથી જ તેના ચાહકો દ્વારા કોકીલાબેન નો જન્મદિવસની તસવીરો સોશિયલ મીડિયામાં તેમના એક ચાહક દ્વારા શેર કરવામાં આવી હતી.

આ તસવીરોમાં અનેક લોકોએ પોતાના પ્રતિસાદ તથા કોમેન્ટ કરી હતી. ઘણા લોકોએ અંબાણી પરિવારના ખૂબ જ વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે ખરેખર આટલા અમીર બન્યા બાદ પોતાની સંસ્કૃતિ અને સંસ્કારોને સાથે રાખવા ખૂબ જ કઠિન છે પરંતુ અંબાણી પરિવારે તે સાકાર કરી બતાવ્યું છે

ખરેખર અંબાણી પરિવાર ખૂબ જ ધન્ય છે અને તેથી જ તેમના પર ભગવાનની અસીમ કૃપા રહેલી છે શ્રીનાથજી ભગવાન અંબાણી પરિવારનું હંમેશા ભલું કરે તેવી પ્રાર્થના તેવી અનેક લોકોએ કોમેન્ટ કરી હતી. શ્રીનાથજી મંદિરમાં મીના કોઠારી અનિલ અંબાણી તેની પત્ની ટીના અંબાણી તથા અન્ય અંબાણી પરિવારના સભ્યો શ્રીનાથજી દ્વારામાં જોવા મળ્યા હતા.

તેમને શ્રીનાથજી ભગવાનના દર્શન કર્યા બાદ ગુરુજીના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા. આ સાથે સાથે તેમણે મંદિરમાં સાંજે ભજન સંધ્યાનું પણ આયોજન કર્યું હતું. આ ભજન સંધ્યામાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા તથા કોકીલાબેન ને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.

સમગ્ર મંદિરને ફૂલો અને લાઇટ દ્વારા શણગારવામાં આવ્યું હતું. મુકેશ અંબાણી અને નીતા અંબાણી દ્વારા તેમના ઘરે કોકીલાબેન ના જન્મદિવસ નિમિત્તે ભવ્ય પૂજાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. પાણી પરિવાર પોતાના દરેક સભ્યોના જન્મદિવસની ઉજવણી કંઈક ખાસ રીતે જ કરતા હોય છે તેની અનેક વાર તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે જે તેમના ચાહકોને ખૂબ જ પસંદ આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *