સુરાપુરા દાદાના આશીર્વાદથી આ યુવકના ઘરે 18 વર્ષે બંધાણું પારણું, યુવકે કહ્યું કે… જુઓ વિડીયો

શ્રી સુરાપુરા દાદા ભાળોદ અનેક શ્રધ્ધાળુઓ માટે આસ્થાનું અનેરું સ્થાન છે. સૌથી ખાસ વાત તો એ છે કે, દાદાના સાનિધ્યમાં આવેલા તમામ ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. આજે ગુજરાતના ખુણે ખુણેથી લોકો શ્રદ્ધા રાખીને અહી દર્શન માટે આવે છે અને દાદાના સાનિધ્યમાં કોઈનું કંઈપણ લીધા વગર અને નિ:સ્વાર્થ પણે શ્રી દાનભા બાપુન નિમિત બનીને લોક કલ્યાણનું કાર્ય કરી રહ્યા છે.

ત્યારે હાલમાં આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે. જેમાં એક ભક્ત સુરાપુરા દાદાનો ખુબ જ આભાર માની રહયા છે જેમના આશીર્વાદને લીધે ભક્તના ઘરે 18 વર્ષે પારણું બંધાણું છે. આ વાઇરલ વિડીયોમાં યુવક કહે છે કે, મારું નામ રાજેન્દ્ર સિંહ ચાવડા છે મારું ગામ સાલપરા છે અને હું ભાવનગર રહું છું.

કુળદેવી ” ખોડિયાર માઁ” શ્રી સુરાપુરા દાદાના આશીર્વાદથી 18 વર્ષે મારા ઘરમાં પારણું બંધાણું છે. આ વાત ખોટી નથી અને મનથી મારા ઘરમાં મે અગરબત્તી ચાલુ કરી હતી અને મોગલ માઁના જન્મ દિવસે જ મારી દીકરીનો જન્મ થયો છે. યુવકના ચહેરા પર દીકરીના જન્મની ખુશી ખુબ છલકાઈ રહી છે.

આ વિડીયોમાં દાનભા બાપુ પણ જોવા મળી રહ્યા છે. આમ ખરેખર આજે દાનભા ભુવાજી અનેક ભાવિભક્તો દુઃખો દૂર કરીને લોકોનું જીવન કલ્યાણકારી બનાવી રહ્યા છે. તેનાથી વિશેષ વાત તો એ છે કે, સૌ જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલીને સૌના કામ કરે છે અને ભક્તો પણ તેમના પર પૂરો વિશ્વાસ અને શ્રધા રાખી દૂર દૂરથી પોતાની મનોકામના પૂરી કરવા અહી આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *