ભારતના સૌથી અમીર મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીએ જગન્નાથ મંદિરમાં 10, 20 કરોડ નહીં પરંતુ 50 કરોડનું દાન આપી સમગ્ર વિશ્વમાં ઈતિહાસ રચી દીધો આ બાદ કામાખ્યા મંદિરમાં આપ્યું એટલું દાન કે….
ભારતના સૌથી અમીર અંબાણી પરિવાર અવારનવાર અનેક મંદિરોમાં દાન કરતા જોવા મળે છે આટલા અમીર હોવા છતાં પણ પોતાની સંસ્કૃતિ અને ધર્મને ક્યારેય ભૂલ્યા નથી તે હંમેશા અનેક મંદિરોની મુલાકાત લઇ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે તેની દરેક સફળતા પાછળ તેઓ ભગવાનના આશીર્વાદ લેવાનું ભૂલતા નથી તેથી જ આજે અંબાણી પરિવાર દરેક લોકોના દિલમાં રાજ કરી રહ્યો છે.
હાલમાં મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી ભારતમાં આવેલા સૌથી પ્રસિદ્ધ મંદિર જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમને 50 કરોડનું દાન આપી ઇતિહાસ રચી દીધો હતો. આ બાદ તેમને કામાખ્યા મંદિરની મુલાકાત લીધી હતી ત્યાં તેમણે 2.51 કરોડ જેટલી મોટી રકમનું દાન કર્યું હતું. તથા આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ દાનનો આંકડો સાંભળી તમામ લોકો થોડીવાર માટે વિચારમાં પડી ગયા હતા. તમામ મંદિરોમાં આનંદ અંબાણીનો ખૂબ જ ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું તથા મંદિરના ટ્રસ્ટ દ્વારા વાતચીત પણ કરવામાં આવી હતી.
અનંત અંબાણીએ તમામ મંદિરોમાં પૂજાપાઠ નો પણ લાભ લીધો હતો. હાલમાં સમગ્ર ભારતમાં ચૈત્રી નવરાત્રીનો પાવન તહેવાર ચાલી રહ્યો છે ત્યારે અનંત અંબાણીએ બગલામુખી મંદિરમાં માતાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે અનંત અંબાણીએ માના ચરણોમાં માથું ઝુકાવી ધન્યતા અનુભવી હતી. અનંત અંબાણીને જોવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા.
જોકે થોડા સમય પહેલા જામનગર ખાતે આનંદ અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિવેડિંગ ફંક્શન યોજાઇ હતા તે બાદ સમગ્ર અંબાણી પરિવાર આવનારા સમયમાં યોજાવનારા લગ્ન માટે મંદિરોમાં આશીર્વાદ લેતા જોવા મળે છે. હાલમાં તો આનંદ અંબાણીના આ દાનની વાત સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.