ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી આવ્યા ખૂબ જ દુઃખદ સમાચાર, મશહૂર દિગ્દર્શક નું થયું નિ-ધન તમામ સુપર સ્ટાર અંતિમ વિધિમાં રહ્યા હાજર

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી અવારનવાર અનેક દુઃખદ સમાચાર સામે આવતા હોય છે હાલમાં જ મશહૂર દિગ્દર્શક સંગીત સિવાન નું આઠ મે ના રોજ દુખદ નિધન થયું હતું. આ સમાચારથી સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોક નો માહોલ સર્જાયો હતો. સંગીત સિવાન ના અંતિમ સંસ્કારમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. એમાં અનુપમ ખેર, ફરદીન ખાન, રિતેશ દેશમુખ, તુષાર કપૂર નો સમાવેશ થાય છે.

સંગીત ના પરિવારના જણાવ્યા મુજબ સંગીત છેલ્લા ઘણા સમયથી મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં યુરીન ઇન્ફેક્શનની સારવાર લઈ રહ્યા હતા. આ બાદ તેને અચાનક હાર્ટ એટેકનો હુમલા આવતા ડોક્ટર દ્વારા લાંબી સારવાર બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન તેમનો સમગ્ર પરિવાર પત્ની બાળકો અને અન્ય પરિવારજનો હાજર રહ્યા હતા.

સંગીતના સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા તેમના ચાહકો એ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સાથે સાથે ફિલ્મ ક્ષેત્ર સાથે જોડાયેલા અનેક અભિનેતા અને અભિનેત્રીઓએ સોશિયલ મીડિયા અને રૂબરૂ શ્રદ્ધાંજલિ પાઠવી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. અભિનેતા સની દેઓલ એ દુઃખની લાગણી વ્યક્ત કરતા લખ્યું કે મારા પ્રિય મિત્ર સંગીતના દુઃખથી હું ખૂબ આઘાતમાં છું મને ખરેખર વિશ્વાસ થતો નથી.તેઓ હવે અમારી વચ્ચે નથી. પરંતુ તમે હંમેશા અમારા હૃદયમાં રહેશો. ઓમ શાંતિ મારા પ્રિય મિત્ર

સની દેઓલ એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સંગીત સાથે અનેક ફિલ્મમાં કામ કર્યું છે આજ કારણથી બંને પરમ મિત્રો હતા. રીતેશ દેશમુખે કહ્યું હતું કે તેઓ હવે અમારી વચ્ચે રહ્યા નથી હું ખૂબ દુઃખની લાગણી અનુભવ છું. સંગીત એ અનેક ફિલ્મ લોકોને આપી હતી જે સુપરહિટ બની હતી હાલમાં તો આ સમાચારથી સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી શોક ની લાગણીમાં જોવા મળી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *