અનંત-રાધિકાના લગ્ન નાં આમંત્રણ કાર્ડની તસ્વીરો આવી સામે,કંકોત્રી માં એવું લખ્યું કે તમે વખાણ કરતા નહિ થાકો – જુઓ વાયરલ તસવીરો
ભારત દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ટૂંક સમયમાં લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે પરંતુ જ્યારે હવે લગ્નને ગણતરીના દિવસો બાકી રહ્યા છે તે પહેલા અંબાણી પરિવાર દ્વારા ઈટલી અને ફ્રાન્સ વચ્ચે ક્રૃઝમાં પ્રી વેડિંગ ફંક્શન નું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌ લોકો જાણો છો કે અંબાણી પરિવાર પોતાના દરેક શુભ પ્રસંગો પાછળ કરોડો અને અબજો રૂપિયાનો ખર્ચ કરે છે ત્યારે આ માહોલ વચ્ચે લગ્નના કાર્ડની અનેક તસવીરો સામે આવી હતી.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈ ના રોજ લગ્નના પવિત્ર બંધન જ્યારે આ લગ્ન માટે આમંત્રણ આપવા માટે અંબાણી પરિવાર દ્વારા એક ખાસ કંકોત્રી બનાવવામાં આવી છે જેની તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે વાયરલ તસ્વીરમાં જોઈ શકો છો કે લગ્ન કાર્ડની શરૂઆતમાં જ સંસ્કૃત શ્લોક લખવામાં આવ્યો છે. આ બાદ તેમની નીચે તિલક દોરવામાં આવ્યું છે અને એમની અંદર ભગવાનની તસવીરો જોવા મળી રહી છે.
આ પરથી સાબિત થાય છે કે અંબાણી પરિવાર આટલા મોટા અમીર હોવા છતાં પણ પોતાના સંસ્કારો અને સંસ્કૃતિ ક્યારેય ભૂલ્યા નથી.આ બાદ લગ્ન કંકોત્રીમાં નીચે લગ્નના તમામ આયોજન અને વર્ણન સાથે સમય અને તારીખ લખવામાં આવ્યું છે. આ લગ્નનું આયોજન મુંબઈમાં જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે યોજવામાં આવશે. હાલમાં તો જ્યારે અંબાણી પરિવાર પોતાના પ્રી વેડિંગ ફંક્શન ની મજા માણી રહ્યા છે ત્યારે આ કાર્ડ ચારેકોર ધૂમ મચાવી રહ્યું છે.

પરંતુ હજુ સુધી અંબાણી પરિવાર દ્વારા આ લગ્ન કંકોત્રી ને લઈ કોઈ ખાસ ખબર સામે આવી નથી પરંતુ આ કાર્ડ જોતા ખૂબ જ સુંદર લાગી રહ્યું છે સાથે સાથે લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. અંબાણી પરિવારના આ લગ્નમાં દેશ વિદેશથી અનેક મહેમાનો ઉપસ્થિત રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
લગ્ન કંકોત્રી ને જોતા અનેક લોકોએ કોમેન્ટ દ્વારા પોતાના અલગ મંતવ્યો અને પ્રતિસાદ દર્શાવ્યા હતા. અંબાણી પરિવારના દરેક કાર્યક્રમો સાથે સાથે એમના આમંત્રણ કાર્ડ પણ ખૂબ જ ચર્ચામાં રહે છે તેવામાં જ્યારે મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના લગ્ન થઈ રહ્યા છે ત્યારે તેમના આમંત્રણ કાર્ડ પણ ખૂબ ચર્ચામાં રહ્યા છે.