Rohit Sharma gave the biggest explanation
|

આખરે શા માટે વર્લ્ડ કપમાં ભારતની જીત સાથે જ કેપ્ટન રોહિત શર્મા સ્ટેડિયમમાં સૂઈ ગયો અને પીચ ની માટી ખાધી આ વાત પર રોહિત શર્માએ કર્યો સૌથી મોટો ખુલાસો

2024 t20 વર્લ્ડ કપ ભારત જીતતાની સાથે જ તમામ ખેલાડીઓ સાથે તમામ ભારતવાસીઓએ ખૂબ જ ઉજવણી કરી હતી. કારણ કે તમામ લોકો માટે લાંબા વર્ષની આતુરતાનો અંત આવ્યો હતો અને આ દિવસે સમગ્ર દેશ અને દુનિયામાં તહેવાર કરતાં પણ વિશિષ્ટ માહોલ જોવા મળ્યો હતો. આ વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા ના કેપ્ટન રોહિત શર્માએ બાર્બાડોસ ની પીચના ટુકડા ને લઈને તેનો ટેસ્ટ કર્યો હતો. પરંતુ આવો રોહિત શર્માએ શા માટે કર્યું હશે તે પ્રશ્ન તમને પણ જરૂરથી થતો હશે તો આજે આપણે તેનો જવાબ જાણવા જઈ રહ્યા છીએ.

Rohit Sharma gave the biggest explanation
Rohit Sharma gave the biggest explanation

આપણે સૌ લોકો જાણીએ છીએ કે રોહિત શર્માની આ જીત લાગણી અને દેશ પ્રત્યે નો પ્રેમ જોડાયેલો હતો. જ્યારે વર્લ્ડ કપની જીત બાદ તમામ ખેલાડીઓ સેલિબ્રેશન કરી રહ્યા હતા ત્યારે ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ બાર્બાડોસ સ્ટેડિયમ ની માટી ખાતો જોવા મળ્યો હતો. આ વિશે જ્યારે રોહિત શર્માના પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેને જવાબ આપતા કહ્યું કે જયારે હું પીચ પર ગયો ત્યારે મને એ ક્ષણનો અહેસાસ થતો હતો. કારણ કે તે પીચએ અમને એ આપ્યું હતું કે જે અમારે જરૂર હતી. અમે આ પીચ પર રમ્યા અને તમામ મેચ જીત્યા તે અમારે માટે ખાસ મેદાન છે. આ બાદ વિશિષ્ટ રીતે જણાવતા કહ્યું કે હું મારા જીવનમાં તે મેદાન અને પીચ ને હંમેશા માટે યાદ રાખીશ.

Rohit Sharma gave the biggest explanation
Rohit Sharma gave the biggest explanation

આ કારણથી તેનો એક ભાગ હું મારી પાસે રાખવા માંગતો હતો. આ ક્ષણ આપણા સૌ માટે ખૂબ જ ખાસ હતી. અને હું તેને જીવવા માગું છું. આ બાદ તમે લોકો જાણતા જશો કે રોહિત શર્મા છેલ્લા બોલમાં જીત સાથે જ સ્ટેડિયમમાં સૂઈ ગયો હતો જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જવાબ આપતા કહ્યું કે તેની પાછળ કોઈ ચોક્કસ કારણ નથી. મને નથી લાગતું કે હું તેનું વર્ણન કરી શકું. મારી પાસે કોઈ શબ્દ નથી. કંઈ પણ વસ્તુ સ્ક્રીપ્ટેડ ન હતી. બધું જ નેચરલી હતું. આ બધું અંદરથી જ કુદરતી રીતે ચાલી રહ્યું હતું પરંતુ આ જીત થી હું ખૂબ જ ખુશ છું. રોહિત શર્માએ ખરેખર કેપ્ટનસી કરી સમગ્ર ટીમને એક સાથે રાખીએ ભારતની ટીમને 2024 t20 વર્લ્ડ કપ જીતવામાં સફળતા અપાવી હતી. આ માત્ર ભારતની જીત નહીં પરંતુ તમામ ભારતવાસીઓની જીત હતી.

Rohit Sharma gave the biggest explanation
Rohit Sharma gave the biggest explanation

પરંતુ t20 વર્લ્ડ કપ જીત્યા બાદ તમામ ભારતવાસીઓ માટે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા હતા કારણકે ટીમ ઇન્ડિયા ના કેપ્ટન રોહિત શર્મા વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા એ ટી ટ્વેન્ટી ફોર્મેટ માંથી નિવૃત્તિ ની જાહેરાત કરી હતી આ સમાચાર સાંભળતાની સાથે જ તમામ ક્રિકેટના ચાહકો ખૂબ જ નારાજ થયા હતા.

પરંતુ દરેક ખેલાડીઓએ ટીમ ઇન્ડિયા માટે પોતાનું સર્વસ્વ આપ્યું છે આ કારણથી જ આજે સમગ્ર વિશ્વમાં ક્રિકેટ ક્ષેત્રે ભારતની ટીમ તમામ સફળતાના શિખરો પ્રાપ્ત કરી આપણા દેશને ગર્વ અપાવી રહી છે. આ 2024 t20 વર્લ્ડ કપમાં પણ તમામ ખેલાડીઓ સાથે રોહિત શર્મા વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા એ પણ પોતાનો પૂરતો સહયોગ આપી લાખો ભારતીયોના સપનાને સાકાર કર્યું હતું.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *