અનંત રાધિકાના લગ્ન પ્રસંગમાં ડાન્સ ટ્રેનર લલિતા સોનીએ પોતાની સમગ્ર ટીમ સાથે કથક નૃત્યનું સ્ટેજ પરફોર્મન્સ કર્યું અનંત રાધિકા તમામ લોકો માટે પ્રેરણા છે અને…જુઓ સંપૂર્ણ વીડિયો

આપણે સૌ લોકો જાણીએ છીએ કે અનંત અને રાધિકાના લગ્ન પ્રસંગ તમામ લોકો માટે ખૂબ જ યાદગાર અને ખાસ બન્યા હતા. આ લગ્નને વધુ વિશેષ બનાવવા માટે પરિવાર તરફથી અલગ અલગ પર્ફોર્મન્સ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોકીલાબેન અંબાણી દ્વારા આયોજિત રાસ ગરબામાં ગુજરાતી સિંગર પાર્થિવ ગોહિલે રાસ ગરબા ની રમઝટ જમાવી હતી. આ બાદ પોપ સ્ટાર જસ્ટિન બીબર પણ હાજર રહ્યો હતો. તેમના ગીતોથી સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઝૂમી ઊઠી હતી આ પર્ફોમન્સ માટે અંબાણી પરિવાર એ તેમને 84 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.

અંબાણી પરિવાર પોતાના દરેક સામાજિક ધાર્મિક અને પારિવારિક પ્રસંગોમાં સ્ટેજ પરફોર્મન્સથી પ્રસન્નની શોભા વધારતો હોય છે તેવામાં આ વખતે પણ અનંત અને રાધિકાના લગ્ન પ્રસંગ માટે સંગીત સંધ્યા રાસ ગરબા જેવા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ બાદ 12 જુલાઈ 2020 ના રોજ મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે અનંત અને રાધિકા એ લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. આ માહોલ વચ્ચે અનંત અને રાધિકાના આયોજિત થયેલા રાસ ગરબા ના કાર્યક્રમમાં કથક ટ્રેનર લલીતા સોની ઉપસ્થિત રહ્યા હતા જેમને કથકલી કરી ભારતની પરંપરા સંસ્કૃતિ અને વારસાને પરિવાર ઉજાગર કર્યા હતા પોતાની સમગ્ર ટીમ સાથે લલિતા સોનીએ કથકલીનું લોકો સમક્ષ પ્રદર્શન કર્યું હતું જેમની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે.

આપને જણાવી દઈએ કે લલિતા સોની કથકલી નૃત્ય ની દુનિયામાં ખૂબ જ સફળતાના શિખરો પ્રાપ્ત કર્યા છે. આ સાથે જ નીતા અંબાણી પણ કથકલી નૃત્ય સાથે ખૂબ જ નજીકથી જોડાયેલા છે સ્ટેજ પરફોર્મન્સમાં નીતા અંબાણીએ કથકલી નૃત્ય લોકો સમક્ષ પ્રસ્તુત કર્યો હતું. આ કથકલી ના પરફોર્મન્સ બાદ સમગ્ર અંબાણી પરિવાર એ લલિતા સોની અને તેમની સમગ્ર ટીમનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરી તેમના વખાણ કર્યા હતા.

લલિતા સોની આજે કથકલીના નૃત્ય ને તમામ લોકો સમક્ષ લાવી તેમને સમગ્ર વિશ્વમાં ઉજાગર કર્યું છે. આબાદ લલીતા સોનીએ આનંદ અને રાધિકા સાથે અંબાણી પરિવારને લઇ પોતાનો અનુભવ લોકો સમક્ષ વ્યક્ત કર્યો હતો તેના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

લલીતા સોનીએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે અનંત અને રાધિકા એક ઉત્તમ પ્રેમનું ઉદાહરણ છે તે આપના સૌ માટે આજે પ્રેરણાદાયક બન્યા છે ખરેખર આપણા ગુજરાતીમાં સ્વભાવ છે કે આપણે ગુજરાતી પરંપરા સંગીત લોક સાહિત્ય અને તેમના સંસ્કારોને આજે પણ ઉજાગર રાખ્યા છે તેમાં આજે આ નૃત્ય જોડાઈ ચૂક્યું છે. ગુજરાત અને ગુજરાતીઓ બધાને એક સાથે જોડીને રાખે છે તે જ એમની ખાસ વાત છે લલિતા સોની ગુજરાતી પરંપરા અને તેમના રીત રિવાજોથી ખૂબ જ ખુશ થયા હતા અને અંબાણી પરિવારની હાજરીમાં તમામ લોકોના ખૂબ જ વખાણ કર્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *