અંબાણી પરિવારની રસોઈ બનાવનારો ગુજરાતી યુવાનનો પગાર જાણી તમે પણ વિચારમાં પડી જશો
આપણે ઘણી વાર સાંભળ્યું છે કે મહેનત અને સંઘર્ષથી જીવનમાં કંઈ પણ મળી શકે છે તથા સફળતાના દરેક શિખરો આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. આવી જ એક વાત જામનગરના ખીજડીયા ગામના નિકુંજભાઈએ સાકાર કરી બતાવી છે કે જેઓએ પોતાની કળા અને આવડતથી આજે માત્ર ગુજરાતમાં જ નહિ પરંતુ સમગ્ર ભારત અને વિશ્વભરમાં પોતાના નામનો ડંકો વગાડી દીધો છે. ખેજડિયા ગામ આમ તો પક્ષીના અભ્યારણ તથા અવનવા પક્ષીઓને જોવા માટેનું એક કેન્દ્ર છે પરંતુ હવે આ ગામ પક્ષીઓના અભ્યારણ ની સાથે સાથે નિકુંજભાઈ ના ગામ તરીકે પણ ઓળખાય છે. તેણે તેની મહેનતથી પોતાના ગામનું અને પરિવારનું નામ પણ રોશન કરી દીધું છે પરંતુ તેણે એવું તો શું કર્યું કે તેનું ગામ આજે નિકુંજભાઈ ના નામ તરીકે ઓળખાય છે.
આજે આપણે તેની મહેનત અને સફર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેને સાંભળીને આપ પણ તેના વખાણ કરવા લાગશે તથા સમગ્ર ગુજરાતવાસીઓને નિકુંજભાઈ પર ગર્વ થશે નિકુંજભાઈ ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી બનાવે છે. તેની વાનગી બનાવવાની કળા સામે કોઈ ટકી શકતો નથી. આટલી સ્વાદિષ્ટ વાનગીઓ તેઓ પીરસે છે તેમનામાં અનોખી વાનગી બનાવવાની કળા અને આવડત ખૂબ ભરપૂર પ્રમાણમાં છે. તેઓ અનેક વાર પોતાના instagram એકાઉન્ટ પર વાનગીઓના વીડીયા શેર કરતા જોવા મળે છે. તેવો હંમેશા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક્ટિવ રહે છે તથા આજના સમયમાં તેના ખૂબ મોટી સંખ્યામાં ચાહકો પણ થઈ ગયા છે. માત્ર પુરુષો જ નહીં પરંતુ મહિલાઓ પણ તેની વાનગીઓના દીવાના છે કારણ કે તેમનામાં એક અનોખી જ વાનગી બનાવવાની આવડત રહેલી છે.
તેવો માત્ર એક બે જ નહીં પરંતુ મોટી સંખ્યામાં વાનગીઓ બનાવે છે અને તે તમામ વાનગી બનાવવામાં માત્ર રહ્યા છે. તેઓ ની પોતાની youtube ની ચેનલ પણ છે તેઓ આજે રસોઈની વાનગીઓની વિડીયો મૂકી તેમાંથી પણ કમાણી કરે છે. આપને જાણીને નવાઈ લાગશે કે નિકુંજભાઈ એટલા છવાઈ ગયા છે કે તેઓની વાનગી નો ટેસ્ટ કરવા માટે દેશના અમીર લોકોની પણ લાઈન લાગે છે. થોડા સમય પહેલા જ દેશના અમીર એવા મુકેશ અંબાણી પણ તેની વાનગી નો ટેસ્ટ કરવા માટે પહોંચ્યા હતા અને મુકેશ અંબાણીને તેની રસોઈ એટલી સ્વાદિષ્ટ લાગે કે તેઓ હવે અવારનવાર પોતાના સમગ્ર પરિવાર સાથે નિકુંજભાઈ ના ઘરે જમવા માટે જાય છે.
તેઓ આજે માત્ર પોતાના ગામ સુધી જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં પોતાની ઓળખાણ ઊભી કરી દીધી છે. તેઓએ મુકેશ અંબાણીના સમગ્ર પરિવાર સાથે વિડીયો તથા પોસ્ટ પણ પોતાના instagram એકાઉન્ટ પર શેર કર્યા હતા. જેમાં તેના ચાહકોએ ખૂબ જ મોટી સંખ્યામાં લાઈક કરી કોમેન્ટ કરી હતી તેમના ચાહકો પણ તેમને ખૂબ જ પ્રેમ અને હંમેશા સાથ સહકાર આપે છે. આપને જણાવી દઈએ કે નિકુંજભાઈ એ આ સફળતા સુધી પહોંચવા માટે ખૂબ જ સંઘર્ષ અને મહેનત કરી છે. ત્યારે તેમને આજના સમયમાં આટલી મોટી સફળતા પ્રાપ્ત થઈ છે અને આગળ પણ સફળતાના શિખરો પ્રાપ્ત કરશે નિકુંજભાઈ ને બાળપણથી જ જમવાનું બનાવવાનો ખૂબ જ શોખ હતો અને આ શોખને જ ધ્યાનમાં રાખી તેણે તેમાં માસ્ટરી થવાનું નક્કી કર્યું અને આજે તેઓ આ ક્ષેત્રમાં માસ્તર થઈ ચૂક્યા છે.
નિકુંજભાઈ ની રસોઈ એ માત્ર રસોઈ જ નહીં પરંતુ આજે એક બ્રાન્ડ બની ચૂકી છે. જેને રસોઈ નો ટેસ્ટ કરવા માટે દૂર દૂરથી લોકો આવે છે અને નિકુંજ ની રસોઈને ટેસ્ટ કરે છે ખરેખર ભારત દેશમાં યુવાનો પાસે ખૂબ જ ટેલેન્ટ અને કળા આવડે જ રહેલી છે. તેથી જ ભારતના યુવાનો સમગ્ર વિશ્વમાં આજે ડંકો વગાડી રહ્યા છે અને ભારત દેશનું નામ રોશન કરી રહ્યા છે તે સમગ્ર ભારતવાસીઓ માટે ખૂબ જ ગર્વની વાત છે.