જગતનો તાત ખેડૂત ભર ઉનાળે સંકટમા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી ભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી મચી શકે છે ચારે બાજુ તબાહી
ગુજરાતમાં ગરમીના વધતા જોર ની વચ્ચે અનેક જગ્યાએ વરસાદ પડવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે જેને લઈને ખેડૂત વર્ગોમાં પણ ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે ગરમીમાં આવતા પાકને આ વરસાદ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડી શકે છે. 13 એપ્રિલ થી 15 એપ્રિલ ની વચ્ચે ગુજરાતના અનેક શહેરોમાં છુટ્ટો છવાયો વરસાદ ની શક્યતા છે. ત્યારે 16 એપ્રિલથી 20 એપ્રિલ સુધી ગરમી નો પારો 45 ડિગ્રી કરતાં પણ વધારે જઈ શકે છે જેને કારણે ગુજરાતના અનેક શહેરોમાં ગરમીના જોર ના પ્રમાણમાં વધારો થઈ શકે છે.
હાલમાં તો તમામ શહેરોમાં ગરમીનું પ્રમાણ 40 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે પરંતુ 16 એપ્રિલ બાદ 45 ડિગ્રી થી 50 ડિગ્રી થવાની પણ શક્યતા છે જોકે દર વર્ષ કરતાં આ વર્ષે ગુજરાતમાં તાપમાનમાં સતત વધારો નોંધાય રહ્યો છે જેને કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત બની ગયું હતું. 26 મેથી ગુજરાતના અનેક શહેરોમાં વરસાદનું આગમન થઈ શકે છે પરંતુ તે પહેલા એપ્રિલ મહિનામાં પણ અનેક શહેરોમાં છૂટો છવાયો વરસાદ સાથે વાવાઝોડાની આ શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
જોકે ભારતમાં દિલ્હી શહેર સૌથી ગરમ શહેર નોંધાયો હતો તે બાદ ગુજરાતના અમદાવાદ સુરત વડોદરા રાજકોટ જેવા શહેરોમાં પણ 40 થી 45 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયુ હતું. અમદાવાદ અને સુરત છે ગુજરાત રાજ્યના સૌથી ગરમ ચહેરો બન્યા અમદાવાદ અને સુરત શહેર ગુજરાત રાજ્યના સૌથી ગરમ શહેર બન્યા હતા.
હાલમાં તો ખેડૂત વર્ગ ઉનાળા વચ્ચે વરસાદની આગાહી સાથે ચિંતામાં મુકાયો છે કારણ કે વરસાદ અનેક પાકોને બગાડી શકે છે જેને કારણે ખેડૂતને અંતે ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. હાલમાં તો જોકે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 16 એપ્રિલ થી 20 એપ્રિલ સુધીના દિવસોમાં વરસાદ સાથે ગરમીનું પ્રમાણ પણ વધી શકે છે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે.