ગુજરાતવાસીઓ તૈયાર થઈ જજો!! ઉનાળાની ગરમી લાવી શકે છે સૌથી મોટી આફત આંબાલાલ પટેલે કરી આગાહી

છેલ્લા ઘણા દિવસોમાં ગુજરાત રાજ્યમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે જેને કારણે એને ગુજરાતવાસીઓને ભારે ગરમીનો સામનો કરવો પડે છે દર વર્ષ કરતાં આ વર્ષે ગરમીના પારા માં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ચૂક્યું છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હવે ટૂંક સમયમાં તમામ ગુજરાતવાસીઓને ગરમીમાંથી છુટકારો મળી શકે છે આ સમાચારથી તમામ ગુજરાતવાસીઓમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે હાલના સમયમાં ગરમીમાં કોઈ ફેરફાર થઈ શકશે નહીં પરંતુ આગળના સમયમાં વાતાવરણમાં પલટો આવવાને કારણે વિસ્તારોમાં ઠંડક પ્રસરી શકે છે.

છેલ્લા ઘણા દિવસોમાં અમદાવાદ સુરત વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં 40 ડિગ્રી કરતાં પણ વધારે તાપમાન નોંધાઈ રહ્યું છે. જેને કારણે તમામ લોકોને ખૂબ જ આકરી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે હાલમાં તો તમામ લોકો ગરમીથી બચવાના પ્રયાસો કરી રહ્યા છે કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી ગરમીનો પારો નીચે જઈ રહ્યો હતો પરંતુ આ વર્ષે ગરમીનો પારો સતત વધી રહ્યો છે. અમરેલી શહેરમાં પણ 38 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ વધુ જણાવી રહ્યા છે કે એપ્રિલ ની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે જેને કારણે તમામ લોકો ગરમીથી છુટકારો મેળવી શકશે. એપ્રિલ મહિનાના અંતમાં છૂટો છવાયા વરસાદ પણ પડી શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે જેને કારણે અનેક ખેડૂત વર્ગને નુકસાનનો સામનો પણ કરવો પડી શકે છે કારણ કે સમય કરતા વહેલા વરસાદ આવવાને કારણે ખેડૂત જનજીવન અસ્તવ્યસ્ત બની શકે છે. તેથી ખેડૂત વર્ગમાં પણ ચિંતા નો માહોલ છવાયો છે.

આવનારા સમયમાં 12 થી 14 એપ્રિલ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે જેથી વરસાદ આવવાની પણ શક્યતા છે. 22 થી 23 એપ્રિલ દરમિયાન વરસાદ વિરામ પણ લઈ શકે છે હાલમાં તો અંબાલાલ પટેલ ની આગાહી ને લઇ તમામ લોકો સતર્ક થઈ ચૂક્યા છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *