મામેરા વિધિમાં ચમકી ઉઠી અંબાણી પરિવારની થનારી વહુ રાધિકા-બ્રાઇડલ લુક ની સામે આવી ખાસ તસવીરો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સમારોહ ની વિધિ ની શરૂઆત થઈ ચૂકી છે. આ લગ્નના તમામ કાર્યક્રમો મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે યોજવામાં આવશે પરંતુ તે પહેલા લગ્નની અનેક વિધિઓ શરૂ કરી દેવામાં આવી હતી જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થવાની સાથે જ લોકોએ ખૂબ જ લાઈક અને કોમેન્ટ કરી અંબાણી પરિવાર પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. આ લગ્ન સમારોહની શરૂઆત એન્ટિલિયામાં મામેરુ સાથે થઈ હતી જેમાં દેશ-વિદેશથી અનેક આમંત્રિત મહેમાનો સાથે વર કન્યાના પરિવારજનો અને સગા સંબંધીઓએ આ વિશિષ્ટ પ્રસંગમાં હાજરી આપી હતી.

આ લગ્ન પ્રસંગની શરૂઆત સાથે જ અંબાણી પરિવારની થનારી વહુ રાધિકા મર્ચન્ટ ના અનેક લુક ની તસવીરો સામે આવી રહી છે.જેમાં રાધિકા મર્ચન્ટ પોતાની ફેશન સ્ટાઈલથી લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. આ ધાર્મિક વિધિ મામેરાથી લગ્નના દિવસોની શુભ શરૂઆત કરી દેવામાં આવી હતી. આ ખાસ પ્રસંગ માટે રાધિકા એ મનીષ મલ્હોત્રા દ્વારા તૈયાર કરેલ એમ્બ્રોઇડરી લેંહગો પહેર્યો હતો.રાધિકા એ તેની માતા શૈલા મર્ચન્ટની જ્વેલરી સાથે પોતાના ખૂબસૂરત લૂક ને કમ્પલેટ કર્યો હતો ખાસ મામેરાની વિધિ માટે રાધિકાએ પોતાની માતાની જ્વેલરી ની પસંદગી કરી હતી.

વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે રાધિકા મર્ચન્ટ રાણી પિંક બનારસી બ્રોકેડ પર કસ્ટમ મેઇડ વાઇબ્રન્ટ બંદિની લહેંગા માં ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે. રાધિકાએ પોતાના ખૂબસૂરત લુક સાથે મામેરાની વિધિથી લગ્નની શુભ શરૂઆત કરી હતી.ગોલ્ડ તાર જરદોસીમાં ક્લાસિક એમ્બ્રોઇડરી કરેલી ડિઝાઇનમાં મા દુર્ગાના શ્લોક લખવામાં આવ્યા હતા. આ પહેલા પણ રાધિકા મર્ચન્ટની સાસુ નીતા અંબાણીએ વંચિત પરિવારો માટેના સમૂહ લગ્નમાં પહેરેલી સાડીમાં ગાયત્રી મંત્રના શ્લોક લખાવ્યા હતા. આથી કહી શકાય કે અંબાણી પરિવારના દરેક દીકરા દીકરીઓ પુત્ર અને પુત્રીઓમાં ભરપુર સંસ્કારો રહેલા છે કે જે પોતાના પહેરવેશમાં પણ હંમેશા સંસ્કારોનું દર્શન કરાવતા જોવા મળે છે.

દરેક ગુજરાતી લગ્ન પ્રસંગોમાં લગ્ન પહેલાં મામેરાની વિધિ કરવામાં આવે છે જેમાં મામા તરફથી વર અને કન્યાને ભેટ આપી તેમને આશીર્વાદ અને લગ્ન માટે શુભકામના પાઠવવામાં આવે છે. ઘણા લગ્નમાં માસા તરફથી પણ દાન આપવામાં આવે છે. આ લગ્ન વિધિ બાદ 12 જુલાઈના રોજ મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ તમામ પરિવારજનો અને મહેમાનોની હાજરીમાં લગ્નના પવિત્ર બંધનમાં બંધાય પોતાના નવા જીવનની શરૂઆત કરશે.

આ લગ્ન માટે દેશ-વિદેશના બિઝનેસમેન બોલીવુડ હોલીવુડ સેલિબ્રિટી તથા અન્ય મહાનુભાવો અને વિશિષ્ટ મહેમાનો ને અંબાણી પરિવાર તરફથી આમંત્રિત કરવામાં આવશે તેની માટે વિશિષ્ટ કંકોત્રી પણ બનાવવામાં આવી છે જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે માત્ર એટલું જ નહીં પરંતુ ગુજરાતના અનેક મંદિરોમાં ભગવાનને પણ કંકોત્રી અર્પણ કરવામાં આવી રહી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *