મ્યુઝિક ડાયરેક્ટર અને ગુજરાતના સંગીતકાર “પાર્થ ઠક્કર” અનંત રાધિકાના લગ્નમાં રહ્યા ઉપસ્થિત જુઓ ખાસ તસવીરો

અનંત અંબાણીના લગ્ન મહોત્સવ ની તસ્વીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે 3 જુલાઈથી શરૂ થયેલા ફંકશન 12 જુલાઈ 2024 ના રોજ મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે લગ્ન બાદ પૂર્ણ કરવામાં આવ્યા હતા પરંતુ આ લગ્નની ચર્ચાઓ હજુ સુધી સમગ્ર વિશ્વમાં સંભળાઈ રહી છે તથા સોશિયલ મીડિયાની દુનિયામાં પણ ખૂબ જ ધૂમ મચાવી રહી છે કારણ કે આ લગ્નમાં માત્ર ભારત દેશમાંથી જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાંથી મહેમાનો અને બોલીવુડ હોલીવુડના સેલિબ્રિટી સહિત તમામ સિંગર બિઝનેસમેન રમતગમત તથા રાજકારણ ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યક્તિઓ મંદિરોના સાધુ સંત મહંત ધર્મગુરુ યોગગુરૂ સહિત તમામ લોકો ખૂબ જ મોટી સંખ્યામાં આ શુભ પ્રસંગમાં હાજરી આપી કાર્યક્રમને ખાસ અને ખૂબ જ યાદગાર બનાવ્યો હતો.

અનંત અને રાધિકાના લગ્ન માટે અંબાણી પરિવાર તરફથી અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હલ્દી રસમ મહેંદી રસમ રાસ ગરબા સંગીત સંધ્યા સ્ટેજ પરફોર્મન્સ જેવા તમામ કાર્યક્રમનો સમાવેશ થાય છે આબાદ 13 જુલાઇ ના રોજ આશીર્વાદ સમારોહનું આયોજન થયું હતું જેમાં નવદંપત્તિએ પરિવારજન વડીલો અને સાધુ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા ત્યારબાદ 14 જુલાઈ રવિવારના રોજ રિસેપ્શન પાર્ટી અનંત અને રાધિકા ના લગ્ન માટે રાખી હતી જેમાં ફિલ્મ સુપર સ્ટાર સાથે સંગીત ક્ષેત્ર સાથે જોડાયેલા પાર્થ ઠક્કરે પણ આ શુભ પ્રસંગમાં હાજરી આપી હતી.

આપને જણાવી દઈએ કે પાર્થ ઠક્કરે અત્યાર સુધી અનેક ગુજરાતી ગીતોમાં ડાયરેક્ટર તરીકે કામ કર્યું છે માત્ર એટલું જ નહીં પરંતુ તમામ ફિલ્મોમાં પણ ગીતની સફળતા પાછળ પાર્થ ઠક્કરનો ખૂબ જ મોટો ફાળો રહેલો છે આ કારણથી જ તેમના ડાયરેક્ટર નીચે થયેલા તમામ ગીતો લોકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય બનતા હોય છે તથા ફિલ્મમાં પણ તેમના ગીત ચારેકોર ખૂબ જ ધૂમ મચાવે છે.

પાર્થ ઠક્કર અંબાણી પરિવારના ખાસ મહેમાન બન્યા હતા તથા તેમણે બૉલીવુડ હોલીવુડના તમામ સુપરસ્ટાર સાથે તસવીરો પણ કેદ કરી હતી આપ વાયરલ તસવીરોમાં જોઈ શકો છો કે પાર્થ ઠક્કર રણવીર સિંહ સાથે ફોટોગ્રાફી કરાવી રહ્યા છે.અન્ય તસવીરોમાં તેઓ ગુજરાતી સંગીત ક્ષેત્ર સાથે જોડાયેલા અને સમગ્ર વિશ્વમાં કવિરાજ તરીકે નામના ઉભી કરનાર આદિત્ય ગઢવી ની સમગ્ર ટીમ સાથે જોવા મળી રહ્યા છે.

આ બાદ તેઓએ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સાથે ખાસ મુલાકાત કરી હતી અને તેમની તસવીરો પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી. આટલા મોટા ક્ષેત્ર સાથે જોડાય સફળ હોવા છતાં પણ સંપૂર્ણ ભારતીય પરંપરાગત પોશાકમાં પાર્થ ઠક્કર જોવા મળ્યા હતા. તેમની સાદગીને કારણે જ તેઓ જીવનમાં સતત આગળ વધે સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરે છે અને આજે સમગ્ર વિશ્વમાં ગુજરાતી લોકસંગીતને એક અલગ ઓળખ અને નામના પોતાના ડાયરેક્ટરના કાર્ય પરથી અપાવી છે. હાલમાં તો તેમની તમામ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ ચાહકોએ ખૂબ લાયક અને કોમેન્ટ કરી હતી જેમાં તેમણે જીવનમાં આગળ વધવા માટે શુભકામના અને શુભેચ્છા પાઠવી હતી તથા રાધિકા અને અનંત ના લગ્નમાં હાજરી આપવા માટે આભાર પણ વ્યક્ત કર્યો હતો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *