લગ્નની પૂર્વ સંધ્યાએ અંબાણી પરિવારના ઘર આંગણે થયું રાસ ગરબા નું આયોજન અનંત રાધિકાએ પરિવારજનો સાથે આપ્યા આકર્ષક પોઝ જુઓ વાયરલ તસવીરો

અનંત અને રાધિકાના લગ્ન પ્રસંગની પૂર્વ સંધ્યાએ અંબાણી પરિવારના ઘર આંગણે ભવ્ય અને ખૂબ જ ધામધૂમથી રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દુલ્હા દુલ્હન ખૂબસૂરત અંદાજ અને આકર્ષક લુક સાથે ધમાકેદાર એન્ટ્રી કરતા જોવા મળ્યા હતા જેને અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે આપણે સૌ લોકો જાણીએ છીએ કે ગુજરાતી પરિવારના કોઈ પણ પ્રસંગમાં ગરબાનો સમાવેશ જરૂરથી થાય છે.તેવામાં અંબાણી પરિવાર એ પણ લગ્નની પૂર્વ સંધ્યાએ રાસ ગરબા નું આયોજન કર્યું હતું.

તેમાં તમામ સગા સંબંધી મિત્રો અને મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. અત્યાર સુધીના ફંકશન ની વાત કરીએ તો તેમાં મામેરા વિધિ હલ્દી રસમ મહેંદી રસમ રાસ ગરબા સંગીત સંધ્યા જેવા કાર્યક્રમનું આયોજન થાય છે ત્યારે પરિવાર અંબાણી પરિવાર દ્વારા રાસ ગરબાનું આયોજન જોવા મળ્યો હતું.

આ પહેલા પણ ગુજરાતી સંગીતકાર પાર્થિવ ગોહિલ અને કિંજલ દવેએ પોતાના સુરથી તમામ અંબાણી પરિવારના સભ્યોને ગરબે જુમાવ્યાં હતા. 11 જુલાઈ 2024 ના રોજ રાધિકાના મેકપ આર્ટિસ્ટે અમુક તસવીરો શેર કરી હતી જેમાં મર્ચન્ટ પરિવારના ઘર આંગણે થયેલી ગ્રહશાંતિ પૂજાની તસવીરો જોવા મળે છે.જેમાં અનંત અંબાણી રાધિકા પાસે હાથ લંબાવી તેને ઉભી કરતો જોવા મળ્યો હતો. આ ગ્રહ શાંતિ પૂજામાં રાધિકાએ ગુલાબી-ટોન બ્લાઉઝ સાથે સફેદ ભરતકામ સાડીમાં ખૂબ જ આકર્ષક અને સુંદર લાગી રહી છે અને અનંત અંબાણી પણ લાલ કુર્તા અને નેહરુ જેકેટમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો.

અન્ય તસવીરોમાં રાધિકા પોતાના પરિવારજન સાથે જોવા મળે છે. આ સાથે અન્ય તસવીરોમાં કોકીલાબેન અંબાણી તરફથી આયોજિત થયેલા રાસ ગરબાની પણ ઝલક જોવા મળે છે જેમાં અંબાણી પરિવારની થનારી વહુ રાધિકા બંને હાથ જોડી તમામ આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરતી જોવા મળે છે. આ બાદ અનંત અને રાધિકાએ હાથમાં દાંડિયા લઈ ગરબાની રમઝટ જમાવી દીધી હતી. આ રાસ ગરબા ના કાર્યક્રમમાં પણ અનંત અને રાધિકાએ પોતાના આકર્ષક લુક થી ચાર ચાંદ લગાવી દીધા હતા.

આ બાદ લગ્નની પૂર્વ સંધ્યાએ થયેલા રાસ ગરબા ના કાર્યક્રમમાં અનંત અને રાધિકા પરિવારજનો અને વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કરતા જોવા મળે છે. રાધિકાએ પોતાના સાસુ અને સસરાના ચરણસ્પર્શ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ તમામ લોકોએ રાધિકા અને અનંતના સંસ્કારના ખૂબ વખાણ કર્યા હતા.

આટલા મોટા અમીર પરિવારમાંથી હોવા છતાં પણ પોતાની સંસ્કૃતિ સભ્યતા અને સંસ્કારો હજુ સુધી નથી ભૂલી આજ કારણથી બંને લોકોની જોડી લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે તથા અંબાણી પરિવારની સર્વ શ્રેષ્ઠ જોડી તરીકે બંને લોકોને ઓળખવામાં આવે છે. હવે 12 જુલાઈ 2024 ના રોજ અનંત અને રાધિકા લગ્ન કરવા જઈ રહ્યા છે ત્યારબાદ 13 અને 14 જુલાઈના રોજ પણ અંબાણી પરિવાર તરફથી ફંકશનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હાજર રહે તેવી શક્યતા છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *