|

બોલીવુડના મશહૂર અભિનેતા જેકી શ્રોફ મંદિરની સાફ-સફાઈ કરતા જોવા મળ્યા તેની સાદગી જોઈને તમે પણ વખાણ કરતા થાકશો નહીં

આપણે સૌ લોકો જાણીએ જ છીએ કે આવનારી 22 જાન્યુઆરી 2024 ના રોજ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા ખાતે ઉજવવા જઈ રહ્યો છે. જેમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રી તથા ક્રિકેટની દુનિયા સાથે જોડાયેલા અનેક વ્યક્તિઓ હાજરી આપશે અને આ અનોખા ઉત્સવના સાક્ષી બનવા જઈ રહ્યા છે. ત્યારે હાલમાં જ બોલીવુડના અભિનેતા તથા અભિનેત્રીઓ રામ મંદિરમાં સાફ-સફાઈ કરતા જોવા મળ્યા હતા જેના અનેક લોકોએ વખાણ કર્યા હતા. આ વિશે વાત કરીએ તો બોલીવુડના પ્રખ્યાત અભિનેતા જેકી શ્રોફ મુંબઈમાં એક મંદિરની સીડીઓ સાફ કરતા જોવા મળ્યા હતા આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

જેમાં અનેક લોકો જેકી શ્રોફના વખાણ કરી રહ્યા છે આટલા મોટા અભિનેતા હોવા છતાં જેકી શ્રોફ હંમેશા પોતાના ધર્મ સંસ્કાર અને સંસ્કૃતિને ક્યારેય ભૂલ્યા નથી તેઓ હંમેશા સાદગી ભર્યું જીવન જીવવાનું જ પસંદ કરે છે. તેથી જ તે આજે પણ લાખો ચાહકોના દિલમાં રાજ કરી રહ્યા છે. અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અનેક મંદિરોમાં સાફ-સફાઈ તથા સજાવટની કામગીરી શરૂ થઈ ચૂકી છે ત્યારે તેમાં જેકી શ્રોફે પણ પોતાનો અગ્રીમ ફાળો તથા સમર્પણ આપ્યું હતું. તેઓ મુંબઈમાં આવેલ મંદિરની પરિસરમાં સાફ-સફાઈ કરતા જોવા મળ્યા હતા. આ કાર્ય તેના સંસ્કારો દર્શાવે છે તેથી જેકી શ્રોફના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે.

આ તમામ સાફ-સફાઈના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા તથા અનેક લોકોએ તેનું શૂટિંગ પણ ઉતાર્યું હતું. તેમાં તે મંદિરની કોઈ પણ જગ્યા સાફ-સફાઈ ના રહી જાય તેનું પણ સંપૂર્ણપણે ધ્યાન રાખ્યું હતું. તેની સાથે સાથે અનેક લોકોએ તેને મદદ પણ કરી હતી . તેણે દાદરની રેલિંગને પોલીસ પણ કરી હતી . તેની સાથે સાથે મંદિરના અંદરના ભાગમાં પણ સાફ-સફાઈ કરી મંદિરને સંપૂર્ણપણે સાફ કર્યો હતો જેકી શ્રોફ હંમેશા પોતાના સંસ્કાર પ્રત્યે નિષ્ઠાવાન રહ્યા છે. આ જ કાર્યને લીધે તેના ચાહકોએ તેના ખૂબ જ વખાણ કર્યા હતા તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા તથા ઘણા લોકોએ જેકી શ્રોફના સારા સ્વાસ્થ્ય અને ભવિષ્ય માટે પ્રાર્થનાઓ પણ કરી હતી.

ખરેખર આવા જ અભિનેતાઓ લોકોના દિલમાં માત્ર અભિનેતા નહીં પરંતુ એક સારા વ્યક્તિ તરીકેની છાપ છોડી જાય છે. આવા અભિનેતાઓને લોકો પોતાના જીવનભર ભૂલી શકતા નથી ઘણા લોકો કોમેન્ટ બોક્સમાં કહી રહ્યા છે કે લોકો માત્ર જેકી શ્રોફના વખાણ જ કરી રહ્યા છે તથા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી રહ્યા છે પરંતુ કોઈ પણ તેને આ કાર્ય કરવામાં સાત સહકાર આપતું નથી પરંતુ આ કાર્ય માટે સૌ લોકોએ ભેગા મળીને મંદિરની સાફ-સફાઈ કરવી જોઈએ પરંતુ ઘણા લોકો ફેમસ થવા પાછળ જ વ્યસ્ત થયા છે તે ખરેખર આજના સમયમાં ખૂબ જ ખરાબ વાત છે આવી રીતે આ વિડીયો એક ચર્ચાનો વિષય બની ગયો હતો. અયોધ્યામાં થનારા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભારતના યશસ્વી વડાપ્રધાનની સાથે સાથે અનેક રાજનેતાઓ તથા અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દેશ વિદેશમાંથી હાજરી આપશે અને આ અનોખા ઉત્સવના સાક્ષી બનશે.

જેની તમામ ભારતવાસીઓ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ભારતની તમામ ગલી મહોલ્લા શહેરોમાં ભગવા રંગથી સજાવી દેવામાં આવ્યું છે અને ભગવાન શ્રી રામના સ્વાગત માટે સૌ લોકો પુરા જોશ થી તૈયારી કરી રહ્યા છે. બોલીવુડ સાથે જોડાયેલા અનેક સેલિબ્રિટીઓ પણ આ રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા માટે ખૂબ જ ઉત્સાહિત છે તેમાં પણ અનુપમ ખેર જણાવી રહ્યા છે કે હું આ ઉત્સવ માટે ખૂબ જ ઉત્સાહિત છું આવો પ્રસંગ મેં મારા જીવનમાં આજ સુધી ક્યારેય જોયો નથી હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મારી નજરે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા જોઈ શકીશ અને ભગવાન શ્રીરામના દર્શન કરી શકીશ.

તેણે જયશ્રીરામ સાથે જણાવ્યું કે 22 જાન્યુઆરી અયોધ્યામાં મારા પૂર્વજો અને મારા પર દાદાઓએ આ મંદિર માટે ખૂબ જ સંઘર્ષો કર્યા છે. જેને હું ક્યારેય ભૂલી શકીશ નહીં 22 જાન્યુઆરી 2024 ના રોજ કેટલાય ભારતવાસીઓનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે જે મારા માટે ખૂબ જ ભાગ્યની વાત છે. આ દેશ ઐતિહાસિક ઘટનાની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો જે આ સદીમાં પૂર્ણ થવા જઈ રહ્યું છે. તેઓ આ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા માટે હાજરી આપશે તેવી આશાઓ પણ વ્યક્ત કરી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *