સુરતના ચાવડા પરિવારે લગ્ન કંકોત્રીમાં એવા ફોટા લગાવ્યા કે ચારેકોર લોકોએ કર્યા મન ભરીને વખાણ, જુઓ કંકોત્રી માં શું છે ખાસ
આપણે સૌ લોકો જાણીએ છીએ કે થોડા સમય પહેલા જ ચૂંટણીનો માહોલ પૂર્ણ થયો છે પરંતુ આ માહોલ વચ્ચે એક પરિવારના લગ્નની કંકોત્રી સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી. આજકાલ ઘણા લોકો પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે લગ્નમાં ખૂબ જ ચર્ચા કરતા હોય છે અથવા પોતાની લગ્નની કંકોત્રીમાં કંઈક ખાસ વાત લખાવી પોતાના લગ્નને યાદગાર બનાવવા માટેના પ્રયત્નો કરતા હોય છે.

સુરતમાં રહેતા ચાવડા પરિવારે લગ્નની કંકોત્રીમાં એવી વાત લખાવી કે ચારે કોર તેમના લોકો મન ભરીને વખાણ કરી રહ્યા છે. આ વાત વાંચી તમારું પણ દિલ ખુશ થઈ જશે. આપણે લગ્ન કંકોત્રીમાં સામાન્ય પણે લગ્નના રીતરિવાજો સમય અથવા દેવી-દેવતા ના ફોટા જોઈએ છીએ તો ઘણા લોકો મહેમાનોને આવકારવા માટે અવનવા શબ્દોનો પ્રયોગ કરતા હોય છે. પરંતુ આ પરિવાર એ કંકોત્રીના માધ્યમ દ્વારા પોતાની દેશભક્તિ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

આ લગ્ન કંકોત્રી માટે તેમણે ભારત દેશના તમામ મહાપુરુષોના ફોટા સાથે વીર યોદ્ધા ના ફોટા પણ લગાવ્યા હતા માત્ર એટલું જ નહીં પરંતુ આ પરિવાર એ લગ્નમાં ફાલતુ ખર્ચ કરવાની જગ્યાએ તમામ રૂપિયા ગરીબો માટે દાન કરવાનો વિચાર કર્યો હતો. આ પરિવાર દ્વારા લગ્ન બાદ ગરીબ લોકોને ભોજન કરાવવામાં આવ્યું હતું.આ લગ્ન કંકોત્રી મા સરદાર પટેલ, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, અને અન્ય સ્વતંત્ર સેનાનીઓના ફોટા અને સ્થાન આપ્યું છે. આ યુગ અને તેમની કંકોત્રી આઝાદીના અમૃત મહોત્સવની થીમ પર તૈયાર કરી છે. આ લગ્ન કંકોત્રીમાં પરિવારની દેશભક્તિ જોવા મળી હતી.

ખરેખર આ પરિવાર એ લગ્નની કંકોત્રીના માધ્યમ દ્વારા આઝાદીના ઘડવૈયાઓ ની યાદોને ફરીથી તાજા કરી દીધી હતી. આપણે ઘણી વાર જોયું હશે કે ઘણા લોકો લગ્નમાં લાખો કરોડો રૂપિયાના ખર્ચ કરતા હોય છે પરંતુ આ પરિવાર તે તમામ ખર્ચના કરીને તેમાંથી બચતા રૂપિયા ગરીબોને ભોજન કરાવવા પાછળ ખર્ચ કર્યા હતા. તમામ લોકોને આ વિચાર ખૂબ જ પસંદ આવ્યો હતો.

આ સાથે કંકોત્રીમાં તેમની દેશભક્તિ એ લોકોના દિલ જીતી લીધા હતા. આજે લોકો જ્યારે ભારતના મહાન પુરુષો અને આઝાદી વખતના ઘડવૈયાઓને ભૂલી રહ્યા છે તેવા સમયમાં આ પરિવારે કંકોત્રીના માધ્યમથી ખાસ યાદ કર્યા હતા. લગ્ન કરનાર આ દંપતી અને પરિવાર દેશ પ્રત્યે ખૂબ જ પ્રેમ ધરાવે છે.
