તારક મહેતાના અભિનેત્રી દયાબેને કર્યો મુંબઈ ખાતે અશ્વમેઘ યજ્ઞ જુઓ તેની સુંદર તસવીરો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી શો આજે દરેક લોકોની પહેલી પસંદ બની રહ્યો છે આ શોમાં પાત્ર ભજવનાર દિશા વાકાણી એટલે કે દયાબેન ઘણા લાંબા સમયથી આ શોથી દૂર છે. તમામ ચાહકો દયાબેન ની રાહ જોઈ રહ્યા છે પરંતુ દયાબેન લાંબા સમયથી આ શોમાં દેખાયા નથી દયાબેન નો હાલમાં જ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે. જેમાં અનેક લોકોએ કોમેન્ટ કરી પ્રતિસાદ આપ્યા છે આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે દયાબેન પોતાના સમગ્ર પરિવાર સાથે જોવા મળી રહ્યા છે દયાબેન નું પાત્ર લોકોને ખૂબ જ આ શોમાં પસંદ આવ્યું હતું.

દયાબેને શો મૂક્યા બાદ જાહેરમાં પણ ક્યારેય જોવા મળ્યા નથી ત્યારે હાલમાં દયાબેન પોતાના સમગ્ર પરિવાર સાથે અશ્વમેઘ યજ્ઞ કરતા જોવા મળી રહ્યા છે. દયાબેન આટલા મોટા અભિનેત્રી હોવા છતાં પણ પોતાના સંસ્કારો સંસ્કૃતિઓ ક્યારે ભૂલ્યા નથી તે જ તેમના સફળતાની ચાવી છે. તેથી જ આજે દયાબેનનું આ પાત્ર લોકોને ખૂબ જ પસંદ આવ્યું છે દયાબેનના મોટી સંખ્યામાં ચાહકો પણ રહેલા છે તેમના ચાહકો હંમેશા દયાબેનને પૂરતો સાથ અને સહકાર આપે છે દિશા વાકાણી એટલે કે દયાબેન હંમેશા પોતાના ચાહકો સાથે જોડાયેલા રહે છે તથા પોતાના અંગત જીવનની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા હોય છે.

ત્યારે હાલમાં જ તેઓ પોતાના સમગ્ર પરિવાર સાથે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા નવી મુંબઈ ખાતે યોજાયેલ અશ્વમેઘ ગાયત્રી મા યજ્ઞમાં હાજરી આપતા જોવા મળ્યા હતા તેની સાથે સાથે તેમણે મંત્રનો જાપ પણ કર્યો હતો. ત્યારબાદ હવન અને આરતી કર્યા બાદ આ હવનની પૂર્ણાહુતિ કરી હતી. દયાબેન પોતાના અનુભવ શેર કરતાં જણાવે છે કે આ મહાયજ્ઞ કરવાની તક મને મળી તેથી હું ખૂબ મારી જાતને ભાગ્યશાળી માનું છું દયાબેન કહી રહ્યા છે કે અમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સોના સેટ પર પણ ઘણીવાર આ યજ્ઞ કરતા હતા આ યજ્ઞ કરવાથી શાંતિ મળે છે.

તેથી આ યજ્ઞ તમામ લોકોએ કરવો જોઈએ તેની સાથે સાથે આજની પેઢીને સારા સંસ્કારો મળે છે અને તેઓ આપણી સંસ્કૃતિથી માહિતગાર બને છે હાલમાં તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સોના ચાહકો દયાબેન ની રાહ જોઈ રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે આ શોમાં દયાબેન ક્યારે પાછા આવી ફરીવાર ચાહકોને ખુશ કરે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *