આને કહેવાય સાચો પ્રેમ!! લગ્ન પહેલા યુવતી એ પોતાના બે પગ ગુમાવ્યા છતાં પણ તેના પતિએ એવો નિર્ણય કર્યો કે….
આજની દુનિયામાં સાચી પ્રેમ કહાની માત્ર ફિલ્મ સુધી જ સીમિત થઈ ગઈ છે.આજના સમયમાં સાચો પ્રેમ શોધવો ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ ઘણા લોકો આ ખોટી માન્યતા ને પણ સાચી કરી દેતા હોય છે. અને જગતમાં હજુ પણ સાચો પ્રેમ જીવે છે તેવું સાબિત કરતા હોય છે. આવો જ એક કિસ્સો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. જેમાં મહાવીર સિંહ અને રીનલબાની પ્રેમ કહાની સૌ લોકો માટે પ્રેરણા રૂપ બની હતી.
મહાવીરસિંહ અને રીનલબાની થોડા સમય પહેલા જ સગાઈ થઈ હતી ત્યારબાદ તેઓ લગ્ન પણ કરવાના હતા. પરંતુ લગ્ન પહેલા જ રીનલબા ના બંને પગ ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારબાદ બંને લોકોના પરિવારોને એવું લાગી રહ્યું હતું કે હવે લગ્ન થઈ શકશે નહીં પરંતુ આ તમામ માહોલ વચ્ચે રીનલ બાના પતિ મહાવીર સિંહ એવો નિર્ણય કર્યો કે સૌ લોકો આ નિર્ણય સાંભળીને ચોકી ગયા.
સૌપ્રથમ આ બંને લોકોના સગાઈ ની વાત કરીએ તો પાટણના હારીજના કુકરાણા ગામમાં રહેતા વાઘેલા મહાવીર સિંહ ની સગાઈ અમદાવાદના બામરોલી ગામના ઝાલા પરિવાર ની દીકરી રીનલબા સાથે થયા હતા. પરંતુ સગાઈ બાદ યુવતી કોઈ કારણોસર વૃક્ષ પરથી નીચે પડી જતા તેને શરીરના અનેક ભાગે ખૂબ જ ગંભીર ઈજા થઈ હતી તથા બંને પગ ગુમાવવાનો પણ વારો આવ્યો હતો. તેને બે વર્ષ સુધી પથારીમાં જ પડ્યું રહેવું પડે તેમ હતું.
ત્યારે બંને પરિવારે સગાઈને તોડવાનો નિર્ણય લીધો. પરંતુ આ વાત યુવકને ખબર પડતાની સાથે જ તેને આ વાત માનવાનો અસ્વીકાર કરી લીધો અને યુવતીને આ તમામ મુશ્કેલી વચ્ચે પણ અપનાવવાનો નિર્ણય લીધો. આ નિર્ણય સાંભળતાની સાથે જ તેને તમામ લોકોના દિલ જીતી લીધા કારણ કે આવા સમયમાં યુવતીને અપનાવી ખૂબ જ મુશ્કેલ છે. આ સમયમાં કોઈપણ યુવક યુવતીને છોડવા માટે તૈયાર થઈ જતો હોય છે. પરંતુ આ યુવકે યુવતીને અપનાવી લગ્ન કરી નવા જીવનની શરૂઆત કરી હતી. આ ઘટના પરથી હજુ પણ આજના સમયમાં સાચો પ્રેમ જીવંત છે તેવું લાગી રહ્યું છે.