રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રખ્યાત સિંગર કૈલાશ ખેરે પોતાના સુરથી સૌને મોહિત કરી દીધા અંતે ધીરેન્દ્ર શાસ્ત્રીને ગળે લગાડી રડી પડ્યા
22 જાન્યુઆરી 2024 અયોધ્યા ખાતે યોજાયેલ રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં અનેક દિગ્ગજો હાજર રહ્યા હતા. આ તમામ લોકોને અયોધ્યા રામ મંદિર માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમાં રણબીર કપૂર આલિયા ભટ્ટ અભિષેક બચ્ચન અમિતાભ બચ્ચન સચિન તેંડુલકર રજનીકાંત રામચરણ તેમની માતા સોનુ નિગમ કૈલાશ ખેર તેની સાથે સાથે અનેક સાધુ સંતો તથા મહંતોને રામ મંદિર માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ તમામ લોકોએ આમંત્રણનું માન રાખે આ મહોત્સવમાં પધાર્યા હતા. તેમાં કૈલાશ ખેરે 22 જાન્યુઆરી 2024 ની વહેલી સવારે અયોધ્યા એરપોર્ટ પર પહોંચ્યા હતા જ્યાં તેમનો ઢોલ નગારા સાથે તેમના ચાહકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

કૈલાશ ખેરના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે તે તેના સૂર દ્વારા આજે દરેક જગ્યાએ સંગીત કળા આવડતનો ડંકો વગાડી રહ્યા છે. તેઓ આવતા ની સાથે જ કહ્યું હતું કે એસી અનુભૂતિ મેને આજતક કભી નહિ કિયે એસા લગ રહા હે કે આજ મેરા પરમાત્મા સે મિલન હો રહા હે મેસ પલકે લિયે બહોત આનંદિત હો હું ખૂબ જ ભાગ્યશાળી છું કે રામ મંદિર નો હું અંશ બન્યો છું. આ ઉત્સવ ને હું મારા જીવનમાં ક્યારેય ભૂલી નહીં શકું આજ સુધી મેં આ ઉત્સવ ક્યારે જોયો નથી આજે રામ મંદિરે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી દીધો છે રામ મંદિરે દરેક લોકોને આસ્થા વિશ્વાસ અને શ્રદ્ધાનું પ્રતીક છે.

તે ધર્મનિરમાનથી રાષ્ટ્ર નિર્માણની ભાવનાને જાગૃત કરી શકશે તેમને એ પણ કહ્યું હતું કે ભારત એક એસી સભ્યતા હે જો પૂરી વિશ્વ કો જીને કી શોધ દે સકતા હૈ આજના સમયમાં ઘણા લોકો એકબીજા સાથે લડી રહ્યા છે ત્યારે ભારત ધર્મની દિશામાં સતત આગળ વધી રહ્યો છે તે જ ભારત દેશની સૌથી મોટી સફળતા છે. ભારત દેશ આજે માત્ર એક ક્ષેત્રમાં જ નહીં પરંતુ તમામ ક્ષેત્રમાં લોકો સાથે કદમથી કદમ મિલાવીને સતત આગળ ચાલી રહ્યો છે. ભારત કા એ સનાતન સભ્યતા કે લિયે એક નવો શિખર બનાવી રહ્યો છે. આ મંદિરમાં દેશ વિદેશથી લોકો રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા માટે આવ્યા હતા તેથી ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ હોવાથી કૈલાશ ખેર અને સોનુ નિગમ આગળ જઈ શક્યા ન હતા પરંતુ ભીડ શાંત પડવાને કારણે તેઓએ આગળ જઈ પફોમન્સ કર્યું હતું.

અમે જ્યારે બીજા ગેટ પર ગયા ત્યારે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે અમારી મુલાકાત થઈ તેમની સાથે વાતો કરીને અમને ઘણો આનંદ થયો તેની સાથે સાથે મંદિરમાં બિરાજમાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની મૂર્તિના પણ અમે દર્શન કર્યા ખરેખર આ મૂર્તિ ખૂબ જ અદભુત છે જે અમે ક્યારેય ભૂલી શકશું નહીં . કૈલાશ ખેરે એ પણ જણાવ્યું હતું કે આ એક શુભ દિવસ છે અને આજના દિવસથી જ રામયુગની શરૂઆત થાય છે કેટલાય લોકોએ રામ મંદિર માટે સંઘર્ષો અને બલિદાન આપ્યા છે ત્યારે આજે આપણી નજરે રામ મંદિરને થતા જોઈ શકીએ છીએ. આજે 500 વર્ષ બાદ પરિવાર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ પોતાના નિજ મંદિર અયોધ્યામાં બિરાજમાન થઈ રહ્યા છે. અયોધ્યા એ માત્ર મંદીર જ નહીં પરંતુ એક સ્વર્ગ સમાન છે.

આ જ એક નયે ભારત કી ન્યુ રખી ગઈ એ આપણા વડાપ્રધાને પણ અયોધ્યા રામ મંદિર માટે ખૂબ જ વખાણ કર્યા હતા. તેની સાથે સાથે કૈલાશ ખેર અને સોનુ નિગમ એ સ્ટેજ ઉપર રામ સીયારામ અને અનેકમર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના ગીત અને ભજન ગાયા હતા અને સૌને પોતાના સુરથી મોહિત કરી દીધા હતા. તેમના ચાહકોએ પણ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. તેમના ચાહકોનો પણ કૈલાશ ખેરને ખૂબ જ પ્રેમ મળ્યો હતો.

તેની સાથે સાથે તેઓ અનેક સાધુ સંતો અને મહંતોને પણ મળ્યા હતા આખરે તેમની મુલાકાત ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે થઈ હતી. બંનેની આંખોમાં ખુશીના આંસુ જોવા મળ્યા હતા બંને એકબીજાને ગળે લગાડીને રડી પડ્યા હતા તથા તેમના ચાહકોએ તેમની સાથે સેલ્ફી અને ફોટોશૂટ પણ પડાવ્યા હતા. કૈલાશ ખેર તેમના ચાહકોને ખૂબ જ પ્રેમ કરે છે તેથી જ તેમના ચાહકો પણ કૈલાશ ખેરની હંમેશા સાથ સહકાર અને પૂરતો પ્રેમ આપે છે કૈલાશ ખેર આટલા મોટા સિંગર હોવા છતાં પણ પોતાના ચાહકોને ક્યારેય ભૂલ્યા નથી તે જ તેમની સફળતાની મુખ્ય ચાવી છે.
