મંદીથી કંટાળીને સુરતના એક રત્નકલાકારે ટૂંકાવ્યું જીવન – મરતા પહેલા પોતાના સગા ભાઈ ને જણાવી એવી વાત કે જાણીને તમે પણ રડી પડશો…

હાલના સમયમાં અત્યારે આત્મહત્યાના ખૂબ જ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તેવા સમયની અંદર સુરતના પુણાગામ વિસ્તારમાં એક રત્નકલાકારે આપઘાત કરી આવવાની ઘટના સામે આવી છે. મળતા સૂત્ર અનુસાર આર્થિક સંઘના મણથી રત્નકલાકારી યુવકે ઝેરી દવા પીને આપઘાત કરી લેવા હોવાનું સામે આવ્યું છે.

રત્નકલાકારે આપઘાત કરી લેતા ત્રણ સંતાને નાની ઉંમરમાં જ પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઘટનાની સાથે જ પુણા પોલીસે અકસ્માતનો મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વધુ તપાસ કરતી જાણવા મળ્યું છે કે આપઘાત અગાઉ નાના ભાઈ સાથે વાત કરીને છોકરાની જવાબદારી સોંપી હતી. મૃતક યુવક પુણાગામ પાસે આવેલ મુક્તિધામ સોસાયટીમાં રહે છે તેમનું નામ વિપુલભાઈ જીંજાળા છે. પોતાના જ ઘરમાં ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લઈ મોતને વહાલું કર્યું છે.

વિપુલના નાનાભાઈ પરેશના જણાવ્યા અનુસાર છેલ્લા 17 વર્ષથી હીરા કંપનીમાં રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. છેલ્લા ઘણા સમયથી તે આર્થિક સંકળામણ અનુભવતા હતા. હીરા કંપનીમાંથી મળતો પગાર પૂરતો પડતો ન હતો. પગારની આવક કરતા મોંઘવારીમાં ખર્ચની જરૂરિયાત મુજબ ખર્ચા ખૂબ જ વધી જતા હતા.

ઘરમાં થતા ખર્ચા તેનાથી સંભાળી શકાતા ન હતા જેના કારણે તેમના પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે. આપઘાત પહેલા છેલ્લે તેમને એવું કહ્યું હતું કે મારા બૈરી છોકરાને સાચવજે આવું બોલવા પાછળ કારણ જાણવાનો પણ પ્રયાસ કર્યો પણ તેણે એવું કહ્યું કે મારી પાસે હવે કોઈ રસ્તો નથી બસ ત્યારબાદ થોડા સમય પછી તેમને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *