6500 કિલોમીટરનું અંતર કાપી યુરોપથી એક યુવતી સુરાપુરા ધામ ભોળાદ ખાતે આવી અને ત્યારબાદ એવું થયું કે…
આજના સમયમાં સુરાપુરા ધામ ભોળાદ એ દરેક ભક્તો માટે શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થાનું પ્રતીક બની ગયું છે અહીં લોકો દૂર દૂરથી દાદા ના દર્શન કરવા માટે આવે છે આ ધામ સાથે વીર રાજાજી તેજાજી દાદાની વીરગાથા જોડાયેલી છે. આજના સમયમાં પણ આ ધામમાં દાદા હાજરા હજુ રહી અનેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.
આ ધામમાં કોઈપણ જાતની અંધશ્રદ્ધા કે અંધ વિશ્વાસ નહિ પરંતુ દાદા ઉપર રાખેલો અતૂટ વિશ્વાસ જ પોતાના દરેક કાર્ય કરે છે. સુરાપુરા ધામ ભોળાદ ખાતે માત્ર ભારત દેશના લોકો દેશ-વિદેશથી લોકો દાદાના દર્શન કરવા માટે આવે છે થોડા સમય પહેલા જ સુરાપુરા ધામ ખાતે યુરોપના એક બહેન મહેમાન બન્યા હતા.
સુરાપુરા ધામ મેનેજમેન્ટ કમિટીએ આ યુવતીનું ખૂબ જ ભવ્ય સ્વાગત કર્યું હતું. તથા સુરાપુરા ધામ ભોળાદ વિશે પણ જણાવ્યું હતું તથા તેણે દાદા ના ચરણોમાં માથું ઝુકાવ્યા આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ બાદ તેણે એક ડાયરીમાં પોતાના અનુભવો પણ લખ્યા હતા તથા આ ધામ આવી તેને ધન્યતા નો અનુભવ થયો હતો.
અહીંના ગાદીપતિ પૂજ્ય ગુરુ શ્રી દાનભા બાપુએ અનેક લોકોને વ્યસન મુક્ત બનાવ્યા છે તેથી જ આધામ શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા સાથે સંસ્કારનું એક કેન્દ્ર બની ચૂક્યું છે. હાલમાં તો યુરોપના એક યુવતી ભોળાદ ના મહેમાન બન્યા હતા તેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી જેમાં અનેક લોકો લાયક તથા કોમેન્ટ કરી જય સુરાપુરા દાદા ના નારા લગાવ્યા હતા.