ગુજરાતના કલાકાર કિર્તીદાન ગઢવીએ પોતાના સમગ્ર પરિવાર સાથે ઉજ્જૈન મંદિરની મુલાકાત લઇ ભગવાન મહાકાલ ની પૂજા અને દર્શનનો લાભ લીધો, કિર્તીદાન ગઢવી ની સાદગી લોકોના દિલ જીતી લીધા જુઓ સુંદર તસવીરો

હાલ ગુજરાતના અનેક કલાકારો ઉનાળાની રજાઓ માણી રહ્યા છે જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે આ માહોલ વચ્ચે ગુજરાતના સંગીતકાર કિર્તીદાન ગઢવી પોતાના સમગ્ર પરિવાર સાથે ઉજ્જૈન મહાકાલ ભગવાનના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા.

કિર્તીદાન ગઢવી આટલા મોટા કલાકાર હોવા છતાં પણ પોતાના સંસ્કારો સંસ્કૃતિ અને ધર્મને ક્યારેય ભૂલ્યા નથી તેથી તેઓ અવારનવાર અનેક મંદિરોની મુલાકાત લેતા જોવા મળે છે હાલમાં તો ઉજ્જૈન સાથેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી.

વાયરલ તસવીરોમાં તેઓ પોતાના સમગ્ર પરિવાર સાથે જોવા મળી રહ્યા છે તેમના ચાહકો દ્વારા આ તસવીરોમાં ખૂબ લાયક અને કોમેન્ટ સાથે જય શ્રી મહાકાલ ના નારા જોવા મળ્યા હતા. ઉજ્જૈન મહાકાલ ના દર્શન માટે કિર્તીદાન ગઢવી પોતાના પત્ની અને બાળકો સાથે પહોંચ્યા હતા. આ સાથે તેને મહાકાલ ભગવાન તથા કાલભૈરવ દાદા ના દર્શન અને પૂજાનો લાભ લીધો હતો.

આ મંદિરમાં તેઓ સંપૂર્ણ ભારતીય પહેરવેશમાં જોવા મળ્યા હતા જે જોતા ની સાથે જ તમામ લોકોના દિલ ખુશ થઈ ગયા હતા. આ સાથે કિર્તીદાન ગઢવી તેમના પત્નીને બાળકોએ કપાળમાં તિલક લગાવ્યું હતું. આ તસવીરોએ તમામ ચાહકોના દિલ જીતી લીધા હતા. કિર્તીદાન ગઢવી આજે સમગ્ર વિશ્વમાં પોતાની એક અલગ નામના ઉભી કરી છે.

થોડા સમય પહેલા મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીના પ્રી વેડિંગ ફંક્શન નિમિત્તે જામનગર ખાતે ભવ્ય લોકડાયરોના આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કિર્તીદાન ગઢવી અંબાણી પરિવારના આમંત્રણ ને માન આપી ઉપસ્થિત રહ્યા હતા આ ડાયરામાં સમગ્ર અંબાણી પરિવાર દ્વારા કિર્તીદાન ગઢવી ને ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. દુનિયાના સૌથી અમીર પરિવાર ના કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવીએ પોતાના સુર થી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આજ વાત આજે સમગ્ર ભારતવાસીઓ માટે ખૂબ ગર્વની વાત છે.

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *