કેનેડા જતા હવે વિચાર કરજો!! કેનેડામાં રહેતા ભારતીય વિદ્યાર્થીને હુમલાખોરોએ ગોળીબાર કરી આપ્યું દર્દનાક મો-ત પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો

આજના દરેક યુવાનો વિદેશ તરફ આગળ વધી રહ્યા છે ઘણા યુવાનોનું સપનું વિદેશ અભ્યાસ કરી ત્યાં જ વસવાટ કરવાનું હોય છે પરંતુ આજના સમયમાં અનેકવાર વિદેશની ધરતીમાંથી હત્યા આત્મહત્યા અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે જેને કારણે આવનારા સમયમાં જનારા વિદ્યાર્થીઓ તથા તેના વાલીઓમાં ચિંતા નો માહોલ બની ગયો છે. હાલના સમયને જોતા એવું લાગી રહ્યું છે કે વિદેશમાં પણ કોઈ પણ વિદ્યાર્થી પોતાને સુરક્ષિત મહેસુસ કરતો નથી. હાલમાં હરિયાણા રાજ્યમાંથી આવતા ચિરાગ અંતિલ કેનેડામાં ગોળી મારી ને હત્યા કરી દેવામાં આવી છે. ચિરાગના મૃત્યુ ના સમાચાર પરિવારને મળતાની સાથે જ તેની માથે આભ ફાટી પડ્યું હતું.

પરંતુ હજુ સુધી હત્યાનું સાચું કારણ જાણી શકાયું નથી. ચિરાગના પરિવાર દ્વારા ચિરાગના મૃતદેહને ભારત પરત લાવવા માટે તમામ પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે જેથી કરીને વહેલી તકે ચિરાગ નો મૃતદેહ તેના પરિવારને મળી શકે. હરિયાણા સરકારના સુગર મીલ માંથી નિવૃત થયેલા મહાવીર અંતિલ નો પુત્ર ચિરાગ સપ્ટેમ્બર 2022 માં કેનેડા ગયો હતો. તેનું સપનું એમબીએ પૂર્ણ થયા બાદ ત્યાં જ વસવાટ કરવાનું હતું તે કેનેડામાં આવેલા વેનકુવરમાં રહેતો હતો. અનેક સપનાઓ સાથે તેણે કેનેડા તરફ ઉડાન ભરી હતી. પરંતુ તમામ સપના એક જ ઘડીમાં ધોવાઈ ગયા હતા.

હાલમાં તે એમબીએ નો અભ્યાસ પૂર્ણ કરી ત્યાંની કંપનીમાં નોકરી કરતો હતો. પરંતુ રવિવારે અચાનક જ હુમલાખુરો દ્વારા તેને ગોળી મારી દેવામાં આવી હતી તેથી તેનું ઘટના સ્થળે ખૂબ જ દર્દનાક રીતે મૃત્યુ થયું હતું.

પરિવાર દ્વારા જાણવા મળી રહ્યું છે કે સવારે જ તેના મોટાભાઈએ તેની સાથે વાત કરી હતી. ત્યાં સુધી બધું જ ઠીક હતું. પરંતુ થોડા સમય બાદ કારમાં નીકળતા ની સાથે જ તેની પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. હાલમાં તો પોલીસ ઘટના અંગે વધુ જાણે વધુ તપાસ થતા પૂછપરછ હાથ ધરી રહી છે અને ચિરાગના મૃતદેહ ને પાછો લાવવા માટે અનેક પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. પરંતુ આવનારા સમયમાં વિદેશ જતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ કિસ્સો એક ચેતવણી જનક છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *