ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ અને તેમના પતિ સિંગર પાર્થિવ ગોહિલે અંબાણી પરિવારની પાર્ટીમાં ધમાલ મચાવી ગુજરાતી કલાકારોનો જામ્યો મેળો જુઓ ખાસ તસવીરો

અંબાણી પરિવારમાં થયેલા આનંદ અને રાધિકાના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યા હતા. આ લગ્ન ફંકશનની શરૂઆત 3 જુલાઈ 2024 ના રોજ થઈ હતી જેમાં મામેરા વિધિ હલ્દી રસમ મહેંદી રસમ રાસ ગરબા સંગીત સંધ્યા જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણે સૌ લોકો જાણીએ છીએ કે તમામ દેશ દુનિયામાંથી આમંત્રિત મહેમાન અંબાણી પરિવારના આ લગ્ન પ્રસંગમાં હાજર રહ્યા હતા. એમાં બોલીવુડ હોલીવુડ સેલિબ્રિટી સહિત દેશ વિદેશના બિઝનેસમેન સહિત તમામ લોકોએ અંબાણી પરિવારના લગ્નને ખાસ બનાવ્યા હતા. આ શુભ પ્રસંગમાં આવેલું છે ખાસ બનાવ્યા હતા.

આ શુભ પ્રસંગના માહોલ વચ્ચે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અભિનેતા અભિનેત્રીઓ તથા ગુજરાતના નામી અનામી તમામ કલાકારોએ આ પ્રસંગમાં હાજરી આપી હતી થોડા સમય પહેલા કોકિલાબેન અંબાણી દ્વારા આયોજિત થયેલા રાસ ગરબા ના કાર્યક્રમમાં પણ ગુજરાતી સિંગર કિંજલ દવે ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ અંબાણી પરિવાર સહિત લોકો એ ગરબાની રમઝટ જમાવી હતી. આપણે સૌ લોકો જાણીએ છીએ કે અંબાણી પરિવાર ગુજરાતી પરંપરા સંસ્કૃતિ અને તેમની સભ્યતાને હંમેશા માન સન્માન આપે છે આ કારણથી જ તેમના દરેક સામાજિક પારિવારિક પ્રસંગોમાં ગુજરાતી સેલિબ્રિટી અને કલાકારો વિશિષ્ટ રીતે ઉપસ્થિત રહેતા હોય છે.

અનંત રાધિકાના લગ્ન પ્રસંગ નિમિત્તે 13 જુલાઈ 2024 ના રોજ આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાદ તમામ મહેમાનો માટે મંગલ સમારો એટલે કે રિસેપ્શન પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ગુજરાતી કલાકાર સહિત ફિલ્મ ક્ષેત્ર સાથે જોડાયેલા અભિનેતા અને અભિનેત્રીઓ પણ હાજર રહ્યા હતા તેમાં કિર્તીદાન ગઢવી રાજભા ગઢવી સાયરામ દવે તથા માનસી પારેખ એમના પતિ પાર્થિવ ગોહિલ કિંજલ દવે આદિત્ય ગઢવી ઓસમાણ મીર જેવા તમામ કલાકારો ની હાજરીથી અંબાણી પરિવારના આ પ્રસંગની શોભા વધારે ખીલી ઉઠી હતી. તમામ લોકો એક સાથે ભોજનની મજા માણ્યા બાદ સંગીત સંધ્યા અને રાસ ગરબાની પણ રમઝટ જમાવી હતી.

માનસી પારેખ અને પાર્થિવ ગોહિલ ની જોડીએ આ લગ્ન પ્રસંગમાં ખૂબ જ ધમાલ મચાવી હતી. આ પહેલા પણ અંબાણી પરિવારના દરેક સામાજિક ધાર્મિક અને પારિવારિક પ્રસંગોમાં ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ અને સિંગર પાર્થિવ ગોહિલ અંબાણી પરિવારના ઘર આંગણે મહેમાન બની ચૂક્યા છે. આ બાદ ફરીવાર અનંત અને રાધિકાના લગ્ન માટે પાર્થિવ ગોહિલ અને માનસી પારેખ વિશિષ્ટ રીતે હાજર રહ્યા હતા.

તેમને ગુજરાતના કલાકાર અને અભિનેતા અને અભિનેત્રીઓની મુલાકાત લઇ તેમની સાથે તસવીર લીધી હતી બંને લોકો અલગ અલગ ક્ષેત્ર સાથે જોડાયેલા છે આ કારણથી જ ગુજરાતી ક્ષેત્રને આગળ વધારવામાં આ કપલે ખૂબ સાચા સહકાર અને પ્રેમ સમર્પિત કર્યો છે. હાલમાં તો આ જોડી ની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહી છે જેમાં તેમના ચાહકો તરફથી ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *