હાશ મોજ પડી જાશે…સમગ્ર ગુજરાતમાં ભારે ગરમી માંથી મળશે છુટકારો આ તારીખે આવી શકે છે અનેક શહેરોમાં વરસાદ હવામાન વિભાગ આંબાલાલ પટેલે વ્યક્ત કરી આગાહી

સમગ્ર ગુજરાતમાં ગરમીનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે આ કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ચૂક્યું છે સાથે સાથે લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે. કાળઝાળ ગરમીને કારણે હાર્ટ એટેક અને મૃત્યુના કિસ્સાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે જેને કારણે માનવ જીવન પણ ભારે ચિંતામાં મુકાયું છે. પરંતુ હાલમાં ગરમીથી છુટકારો મળી શકે તેવી આગાહી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે કાળજાળ ગરમીને કારણે તમામ શહેરીજનોને સાવચેત રહેવા માટે સૂચવ્યું છે કારણ કે આવી ગરમીમાં મૃત્યુ અને અન્ય ઘટનાઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે આ કારણથી વગર કારણે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે આગામી ચાર દિવસો બાદ ગુજરાતના અનેક શહેરોમાં છૂટા છવાયા વરસાદના એંધાણ જોવા મળી શકે છે.

26 મેથી 4 જૂન વચ્ચે સમગ્ર ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદનું આગમન થવાની શક્યતા છે જોકે આ પહેલા પણ ગુજરાતના અનેક શહેરોમાં વરસાદના દ્રશ્યો જોવા મળ્યા હતા પરંતુ ત્યારબાદ ગરમીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે આ કારણથી આવનારા સમયમાં ગરમી માંથી ફરીવાર લોકોને છુટકારો મળે તેવી સંભાવના છે.

ગુજરાતના શહેરો જેવા કે સુરત અમદાવાદ વડોદરા રાજકોટ માં 45 ડિગ્રી કરતાં પણ વધારે તાપમાન નોંધાયા હતા જે આ વર્ષમાં સૌથી વધારે તાપમાનની યાદીમાં સમાવેશ થાય છે. સાત થી 14 મે દરમિયાન ગુજરાતમાં વરસાદનું આગમન થશે અને ત્યારબાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદનું જોર વધે તેવી શક્યતા છે.

આ વર્ષે સમય કરતા પહેલા મેઘરાજા પધારી શકે છે જોકે દર વર્ષ કરતાં આ વર્ષે ગરમી નો ભારો સતત વધારે હોવાથી મેઘરાજાનું આગમન પણ વહેલા થાય તેમાં કોઈ નવાઈ નથી હાલમાં તો આ ખુશીના સમાચારથી તમામ શહેરીજનોએ હાશકારો લીધો હતો. આ વર્ષે દર વર્ષ કરતા વરસાદ પણ સારો થવાની શક્યતા છે આ કારણે ખેડૂત વર્ગોમાં પણ ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *