|

ભગુડા પાટોત્સવમાં મોરારીબાપુ નું થયું ભવ્ય સ્વાગત, પોતાની પવિત્ર વાણીથી સૌને આપ્યા આશીર્વાદ જુઓ વાયરલ તસવીરો

માં મોગલ ના સાનિધ્યમાં ગુજરાતમાં આવેલ ભગુડા ખાતે માતાજીનો 28 મો પાટોત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ગુજરાતના તમામ કલાકારો રાજનેતાઓ અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં ભવ્ય લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશિષ્ટ પ્રસંગે સમગ્ર ભગુડા ગામ અને મંદિરને લાઈટ અને ફૂલો દ્વારા ડેકોરેશન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ માના આશીર્વાદથી પાટોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.

આ વિશિષ્ટ પ્રસંગમાં આમંત્રિત મહેમાનો સાથે સાથે વિશ્વ વંદનીય પૂજ્ય મોરારીબાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા તમામ સ્વયંસેવકો કલાકાર અને ભગુડા ટ્રસ્ટ દ્વારા પૂજ્ય મોરારીબાપુ નું સ્વાગત કરવામાં આવ્યું હતું. હાસ્ય કલાકાર માયાભાઈ આહીર ના પૂજ્ય મોરારીબાપુ ગુરુ રહ્યા છે આ કારણથી માયાભાઈ આહીર સાથે સાથે અન્ય કલાકારોએ પણ પૂજ્ય મોરારીબાપુ ના ચરણસ્પર્શ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

દર વર્ષે ભગુડા ના પાટોત્સવમાં વિશ્વ વંદનીય ગુરુ શ્રી મોરારીબાપુ હાજરી આપે છે મોરારીબાપુ પણ મા મોગલ પ્રત્યે અતૂટ આસથા શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે. આ ડાયરામાં મોરારીબાપુ એ પોતાની વાણીથી ઉપસ્થિત તમામ લોકોને આશીર્વાદ આપ્યા હતા. મોરારીબાપુ ના આગમનથી કાર્યક્રમની રોનક અને શોભા વધી ઉઠી હતી.

મોરારીબાપુ ના આશીર્વચન બાદ તમામ કલાકારો સાધુ સંતો દ્વારા મોરારીબાપુને એવોર્ડ અને દક્ષિણા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા મોરારીબાપુ અનેકવાર ભગુડામાં મોગલના દર્શન કરવા માટે પધારતા હોય છે હાલમાં તો ડાયરાની અને પાટોત્સવની ઉજવણીના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે જેમાં લોકો ખૂબ લાઈક અને કોમેન્ટ કરી પૂજ્ય મોરારીબાપુ અને મા મોગલના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *