મુકેશ અંબાણીના ગુરુ રમેશભાઈ ઓઝા અંબાણી પરિવારના ઘર આંગણે પધાર્યા અનંત રાધિકાને લગ્ન માટે આપ્યા આશીર્વાદ જુઓ વાયરલ તસવીરો

આપણે સૌ લોકો જાણીએ છીએ કે શ્રેષ્ઠથી સર્વ શ્રેષ્ઠ જીવન જીવી ભગવાન સુધી પહોંચવા માટે અથવા ભગવાનની શક્તિ અને ભક્તિને મહેસુસ કરવા માટે એક સાચા ગુરુની જરૂર હોય છે ગુરુ વગર તમામ લોકોનું જીવન અધૂરું છે આ માટે જ જીવનમાં એક ગુરુ હોવા ખૂબ જરૂરી છે જે આપણને જીવનની સાચી દિશા બતાવી સતત આગળ વધવાની પ્રેરણા અને આશીર્વાદ આપતા રહે. આમ ભારત દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના પણ ગુજરાતના પ્રખ્યાત કથાકાર રમેશભાઈ ઓઝા છે.



આપણે સૌ લોકો જાણીએ છીએ કે મુકેશ અંબાણી સમગ્ર વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ અને અમીર બિઝનેસમેનની યાદીમાં સ્થાન ધરાવે છે. છેલ્લા ઘણા વર્ષોથી મુકેશ અંબાણી બિઝનેસની દુનિયામાં પોતાની પ્રથમ જગ્યા મેળવી લીધી છે. કહેવાય છે કે જીવનમાં સફળતા માટે ગુરુ હોવું ખૂબ જ જરૂરી છે. આવા જ એક ગુરુ અંબાણી પરિવારના પણ છે.જેનું નામ છે રમેશ ભાઈ ઓઝા. અંબાણી પરિવાર દરેક નાના-મોટા નિર્ણય તેમની સલાહ પર લે છે. આવો અંબાણી પરિવારના ગુરુ વિશે થોડું જાણીએ.



12 જુલાઈ 2024 ના રોજ અનંત અને રાધિકાના લગ્ન બાદ અંબાણી પરિવાર તરફથી આશીર્વાદ સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ આશીર્વાદ ના કાર્યક્રમમાં મંદિરના તમામ સાધુ સંતો ધર્મગુરુ આધ્યાત્મિક રૂપ એ વિશેષ ઉપસ્થિત રહી વર વધુને લગ્નજીવન માટે આશીર્વાદ અને શુભકામના પાઠવી હતી. આશીર્વાદના શુભ પ્રસંગ માહોલ વચ્ચે અંબાણી પરિવારના ગુરુ રમેશભાઈ ઓઝા પણ ઉપસ્થિત રહ્યા હતા જેમનું અંબાણી પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તથા તમામ અંબાણી પરિવારના સભ્યોએ તેમના આશીર્વાદ પણ મેળવ્યા હતા.અંબાણી પરિવારના દરેક પારિવારિક સામાજિક ધાર્મિક પ્રસંગોમાં પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા ઉપસ્થિત રહેતા હોય છે.



અંબાણી પરિવારના ગુરુ રમેશ ભાઈ ઓઝા જાણીતા આધ્યાત્મિક નેતા છે. તેઓ ગુજરાતના પોરબંદરમાં ‘સાંદીપનિ વિદ્યાનિકેતન આશ્રમ’ નામનો આશ્રમ ચલાવે છે.ધીરુભાઈ અંબાણી સફળતાના શિખરે હતા ત્યારથી રમેશભાઈ ઓઝા અંબાણી પરિવાર સાથે છે. અંબાણી પરિવાર માટે તેમનું મહત્વ ઘણું વધારે છે. પરિવારના દરેક નાના-મોટા નિર્ણયમાં રમેશ ભાઈ ઓઝાની સલાહ સામેલ હોય છે.એવું કહેવાય છે કે મુકેશ અંબાણી પોતાના બિઝનેસમાં કંઈ પણ નવું કરતા પહેલા પોતાના ગુરુની સલાહ લે છે.



મળતી માહિતી અનુસાર જ્યારે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે બિઝનેસને લઈને ઉતાર-ચઢાવ હતા ત્યારે તેમના ગુરુએ જ સાચો રસ્તો બતાવ્યો હતો.તમને જણાવી દઈએ કે માત્ર અંબાણી પરિવાર જ નહીં પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના તમામ મોટા નેતાઓ તેમના આશ્રમની મુલાકાત લઈ ચુક્યા છે. ગુરુ શ્રી રમેશભાઈ ઓઝાએ અંબાણી પરિવારના ઘર આંગણે આગમન કરી તમામ લોકોને આશીર્વાદ પાઠવ્યા હતા આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરસ થતા ની સાથે જ તમામ લોકોએ ખૂબ લાયક અને કોમેન્ટ કરી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *