આને કહેવાય સંસ્કાર!! અબજોની માલિકી ધરાવતા હોવા છતાં પણ મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણીએ દીપ પ્રાગટ્ય વખતે બાજુમાં ચપ્પલ ઉતારી એવું કાર્ય કર્યું કે તમામ લોકોએ કર્યા મન ભરીને વખાણ

દુનિયાના સૌથી અમીર વ્યક્તિમાં સામેલ થતાં મુકેશ અંબાણીએ પોતાના પુત્રોને ખૂબ જ સારા સંસ્કારો આપ્યા છે. આટલા મોટા વ્યક્તિ હોવા છતાં તેઓ હંમેશા પોતાના પુત્રોને સંસ્કાર સંસ્કૃતિ અને ધર્મ વિશે અનેકવાર પાઠ શીખવતા હોય છે. ઘણા લોકો કહે છે કે પૈસા સામે પોતાના સંસ્કારો કઈ કામ લાગતા નથી પરંતુ આ વાતને મુકેશ અંબાણીએ તદ્દન ખોટી પાડી દીધી છે કારણ કે સંસ્કાર હશે તો પૈસા આપોઆપ આવશે પરંતુ પૈસા હોય તો સંસ્કાર આવવા ખૂબ જ મુશ્કેલ છે તેથી જ મુકેશ અંબાણી પોતાના પુત્રોને હંમેશા સંસ્કારના પાઠો શીખવે છે.

મુકેશ અંબાણીના પુત્રોએ માત્ર પૈસાને જ નહીં પરંતુ સંસ્કારોને પણ પોતાના જીવનમાં સર્વશ્રેષ્ઠ સ્થાન આપ્યું છે તેઓ પોતાના દરેક કાર્યક્રમમાં પોતાના સંસ્કારો ક્યારેય છોડતા નથી. તેથી જ આજે મુકેશ અંબાણી સાથે સાથે તેમના પુત્રોએ પણ સમગ્ર વિશ્વમાં સફળતાના દરેક શિખરો પ્રાપ્ત કર્યા છે તેઓએ તેના પિતાનો વારસો ખૂબ જ સારી રીતે જાળવી રાખ્યો છે આજે પણ મુકેશ અંબાણી સાથે સાથે તેના પુત્રોને પણ લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

તેવામાં ફરી એકવાર મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના સંસ્કારો કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. તેમાં ઇશા અંબાણી મહિલાઓને બ્રેસ્ટ કેન્સર વિશે જાગૃત કરતી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં ઈશાએ પોતાના લુકથી સૌના દિલ જીતી લીધા હતા. લોકોને તેનો લુક ખૂબ જ પસંદ આવ્યો હતો આ કાર્યક્રમમાં ઇશા અંબાણી ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મુકેશ અંબાણી પાસે અબજો રૂપિયાની સંપત્તિ હોવા છતાં પણ પોતાના બાળકોને પૂરતા પ્રમાણમાં સંસ્કાર પૂરા પાડ્યા છે. મુકેશ અંબાણીના સમગ્ર પરિવારમાં પૈસાનો ઘમંડ થોડો પણ જોવા મળતો નથી પરંતુ સંસ્કાર પૂરેપૂરા જોવા મળે છે.

આ કાર્યક્રમમાં પણ ઈશાએ પોતાના સંસ્કારો લોકો સમક્ષ વ્યક્ત કર્યા હતા. જ્યારે ઈશાને દીપ પ્રાગટ્ય માટે બોલાવવામાં આવી ત્યારે સૌ પ્રથમ ચપ્પલ બાજુમાં ઉતારીને દીપ પ્રાગટ્ય કર્યું હતું તથા દીપ પ્રાગટ્ય સામે બે હાથ જોડી નમન પણ કર્યા હતા. થોડા સમય પહેલા યોજાયેલ આવા જ એક કાર્યક્રમમાં મુકેશ અંબાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ બાજુમાં ચપ્પલ ઉતારી દીપ પ્રાગટ્ય કર્યું હતું. ઘણા લોકોએ કહ્યું હતું કે ઇશા અંબાણી પોતાના પિતાના રસ્તા પર ચાલી રહી છે તેમણે ક્યારેય પોતાના જીવનમાં સંસ્કારો મૂક્યા નથી આજ તેમની સૌથી મોટી સંપત્તિ છે.

હાલમાં તો ઈશા અંબાણીના આ કાર્યક્રમ નો વિડીયો સૌના દિલ જીતી રહ્યો છે જેમાં અનેક લોકોએ ખૂબ લાઈક અને કોમેન્ટ કરી અંબાણીના સમગ્ર પરિવારના તથા તેના સંસ્કારો ના વખાણ કર્યા હતા. આવા કાર્ય અંબાણી પરિવાર અવારનવાર કરતો હોય છે તેથી જ આજે અંબાણી પરિવાર પોતાની સફળતાની સાથે સાથે દરેક લોકોના દિલમાં રાજ કરી રહ્યો છે તથા સફળતાના દરેક શિખરો તેના સંઘર્ષો થકી પ્રાપ્ત કરે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *