લગ્નમાં આવેલા મહેમાનો માટે મુકેશ અંબાણીએ મંગાવ્યા 100 પ્રાઇવેટ જેટ આ સાંભળી પાકિસ્તાનીઓના હોંશ ઉડી ગયા જુઓ શું કહ્યું વાયરલ વીડિયોમાં

અનંત અને રાધિકાના લગ્નની ચર્ચાઓ માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખૂબ જ જોશ થી થઈ રહી છે. આ લગ્ન માટે મુકેશ અંબાણી પોતાના દીકરાના લગ્નમાં કરોડો અબજો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. દેશ-વિદેશમાં રાજકારણ રમત ગમત ફિલ્મ ક્ષેત્રના તમામ મોટા સેલિબ્રિટીઓ આ લગ્નમાં જોવા મળ્યા હતા માત્ર એટલું જ નહીં પરંતુ દેશ-વિદેશના વડાપ્રધાન સહિત ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અનંત રાધિકાને લગ્નના આશીર્વાદ આપવા માટે મુંબઈ પહોંચ્યા હતા. આ કારણથી કહી શકાય કે અનંત અને રાધિકાના લગ્ન માત્ર અંબાણી પરિવાર કે ભારત માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે વર્ષો વર્ષ સુધી ખૂબ જ યાદગાર અને ખાસ બની રહેશે.

અનંત અંબાણીના આ લગ્નમાં અબજો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે તો આ વાત માત્ર ભારતમાં નહીં પરંતુ પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ચર્ચાનો વિષય બની જતી હોય છે આ લગ્નના વિષય પર પાકિસ્તાનના યુટ્યુબર સોએબ ચૌધરી નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.તે અલગ અલગ લોકો સાથે આ લગ્નને લઈ પ્રતિક્રિયા અને મંતવ્ય મેળવી રહ્યો છે જ્યારે તેણે એક વ્યક્તિને પૂછ્યું કે મુકેશ અંબાણીએ પોતાના દીકરાના લગ્ન માટે તમામ મહેમાનો માટે સો જેટલા પ્રાઇવેટ જેટ મંગાવ્યા હતા. આ વાત સાંભળી પાકિસ્તાન વાસીઓને પરસેવો છૂટી ગયો હતો.

પાકિસ્તાનના એક યુવકે કહ્યું હતું કે અમે ઘણીવાર મીડિયામાં સાંભળ્યું છે કે ભારત ઘણો ગરીબ દેશ છે પરંતુ તે ખૂબ જ સમૃદ્ધ છે. તમે જોઈ શકો છો કે કેવી રીતે મુકેશ અંબાણીએ પોતાના દીકરા માટે અબજો રૂપિયા વરસાદની જેમ ખર્ચ કરી નાખ્યા માત્ર એટલું જ નહિ પરંતુ પોપ સ્ટાર જસ્ટિન બીબરને 84 કરોડ રૂપિયા સ્ટેજ પરફોર્મન્સ માટે ચૂકવ્યા હતા આ પહેલા પણ રિહાના ને 70 75 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. આ સિવાય તમે જોઈ શકો છો કે બોલીવુડ હોલીવુડ સેલિબ્રિટી થી માંડી દેશ વિદેશના તમામ બિઝનેસમેન તેમના લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા.

પાકિસ્તાનના લોકોએ અનંતના લગ્ન પરથી કહ્યું હતું કે ભારત દેશ ગરીબ નથી પરંતુ તે ખૂબ જ સમૃદ્ધ છે અને આપણે સૌ લોકો પણ જાણીએ છીએ કે મુકેશ અંબાણીએ પોતાના દીકરા અનંત ના લગ્ન માટે ધામધૂમથી તૈયારીઓ કરી હતી તથા તેમના દરેક ફંક્શન ખૂબ જ ખાસ અને યાદગાર બન્યા હતા. આ લગ્ન ફંકશનની શરૂઆત 3 જુલાઈના રોજ કરવામાં આવી હતી અને 12 જુલાઈ 2024 ના પવિત્ર પાવન શુભ પ્રસંગે અનંત અને રાધિકા અગ્નિની સાક્ષી એ ફેરા લઈ જન્મો જનમના બંધનમાં બંધાય પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. નવદંપત્તિના આશીર્વાદ આપવા માટે 13 જુલાઈ 2024 ના દિવસે પરિવારજન વડીલો અને સગા સંબંધી સાથે સાધુ સંતોની હાજરીમાં આશીર્વાદ આપવામાં આવ્યા હતા. ખરેખર આ પ્રસંગ ખૂબ જ પવિત્ર અને ધાર્મિક અંબાણી પરિવાર માટે બની ગયો હતો. આબાદ 14 જુલાઈ રવિવારના દિવસે તમામ લોકો માટે રિસેપ્શન પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું હતું.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *