મુસ્લિમ સમાજની એક યુવતી અયોધ્યા પગપાળા જવા માટે રવાના થઈ તેનું નામ જાણીને તમે પણ ચોકી જશો

ભારત દેશમાં બધા જ ધર્મના લોકો હળી મળીને રહે છે તથા એકબીજાના તહેવારમાં પૂરતો સાથ સહકાર તથા પ્રેમ આપે છે. તેથી જ ભારત દેશનો સમગ્ર વિશ્વમાં ડંકો વાગી રહ્યો છે અને તમામ ધર્મને પણ આ સન્માન આપે છે. ધર્મમાં કોઈ જાતી કે જ્ઞાતિ જોવામાં આવતી નથી. તેનું ઉત્તમ ઉદાહરણ મુંબઈની શબનમ નામની યુવતીએ પૂરું પાડ્યું છે આપણે સૌ લોકો જાણીએ જ છીએ કે આવનારી 22 જાન્યુઆરી 2024 ના રોજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે જેમાં માત્ર હિન્દુ ધર્મના જ લોકો નહીં પણ અન્ય ધર્મના લોકો પણ હાજરી આપશે અને વસુદેવ કુટુંબકમની ભાવનાને ઉજાગર કરશે.

આ દિવ્ય ક્ષણને જોવા માટે માત્ર ભારત દેશની પણ વિદેશથી પણ લોકો હાજરી આપશે. હાલમાં તો મુસ્લિમને આ યુવતી શબનમ એક ચર્ચાનો વિષય બની ગઈ છે. કારણ કે તે મુંબઈથી અયોધ્યા માટે પદયાત્રા માટે નીકળી પડી છે. તેની સાથે તેના મિત્રો રાજ શર્મા ને એને વિનીત પાંડે પણ સામેલ છે. આપ સૌ જાણીને ચોકી જશો કે તેઓ મુંબઈથી અયોધ્યા 1425 કિલોમીટર સુધીનું અંતર કાપશે અને 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા પહોંચશે અને ત્યાંના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે માત્ર પગપાળા યાત્રા જ નહીં પરંતુ પગપાળા યાત્રામાં રામ નામનું જપ પણ આ યુવતી કરી રહી છે. તે સૌ ભારતવાસીઓ માટે ખૂબ જ ગર્વની વાત છે કારણ કે અન્ય ધર્મના લોકો પણ આવી ભક્તિ કરી રહ્યા છે.

આપણે થોડા સમય પહેલા કળિયુગના શબરી વિશે તો સાંભળવી જશે કે તેણે લાંબા સમયથી રામ મંદિર માટે મૌન પાળ્યું છે પરંતુ આ યુવતી તેની સાથે સાથે એક ચર્ચાનો વિષય બની ગઈ છે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ પ્રત્યેની અતુલ શ્રદ્ધા વિશ્વાસ જોઈને સૌ લોકો તેના વખાણ કરી રહ્યા છે. આ યુવતી ના વિડીયો અને પોસ્ટ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા. જેમાં અનેક લોકોએ પોતાના કોમેન્ટ અને પ્રતિસાદ આપ્યા હતા. લોકો કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામના નારા પણ લગાવી રહ્યા છે પગપાળા ચાલતા આ ત્રણેય વ્યક્તિઓ સોશિયલ મીડિયાની દુનિયામાં છવાઈ ગયા હતા અને લોકો તેને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવી રહ્યા હતા.

શ્રીરામની ભક્તિ કરવા માટે માત્ર હિન્દુઓ જરૂરી નથી પરંતુ એક સારો વ્યક્તિ પણ ભગવાન શ્રીરામની ભક્તિ કરી શકે છે. તેવું આ યુવતીએ સાબિત કરી બતાવ્યું છે ખરેખર આ યુવતીને ખૂબ ખૂબ ધન્યવાદ છે. ભગવાન શ્રીરામ તો દરેકના હૃદયમાં વસેલા છે બસ તેને મહેસુસ કરવા ખૂબ જરૂરી છે. મુંબઈની આ યુવતી શબનમ એવું કહેવા માંગે છે કે આ પડકારોને માત્ર યુવકો જ નહીં પરંતુ આજની નારી શક્તિ પણ સત્ય કરી શકે છે. આ યુવતીના ભોજનની રહેવાની સુવાની તમામ સગવડો અનેક ધાર્મિક સ્થળો દ્વારા કરવામાં આવી છે.

તેની સાથે સાથે પોલીસે પણ પૂરતો સાથ સહકાર આપ્યો છે. જેથી કરીને આ યુવતીની સુરક્ષા થઈ શકે, મુશ્કેલ પરિસ્થિતિમાં પણ આસપાસના ગામડાના લોકો તથા અન્ય વ્યક્તિઓ તેને મદદ કરી રહ્યા છે. તે સૌ લોકોએ પણ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું જોકે શબનમ એવું ઈચ્છે છે. કે તેઓ 22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યાપોટ છે પરંતુ હજુ સુધી શબનમ ક્યારે પહોંચશે તેવું ખાસ તારીખ બહાર પાડી નથી હવે જોવાનું એ રહ્યું કે આગળના સમયમાં શબનમ કેટલું અંતર કાપે અયોધ્યા પહોંચી શકે છે. અયોધ્યાનો આ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે દરેક ભારતીય માટે દિવાળી જેવો માહોલ બની ગયો છે અને અત્યારથી જ લોકો અયોધ્યા જવા માટે રવાના થઈ ગયા છે અને કોઈપણ જાતની અવ્યવસ્થા ના સર્જાય તે માટે મોટી સંખ્યામાં સ્વયંસેવકો પણ ત્યાં સેવા આપશે ભારતના યશસ્વી વડાપ્રધાન અને અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ રામ મંદિર પ્રતિષ્ઠા વિધિમાં પોતાની હાજરી આપશે.

ત્યારે ભારતના દરેક ખૂણે ભક્તિ આસ્થા અને શ્રદ્ધા નું માહોલ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર અનેક ભક્તિના તથા સત્સંગમાં કાર્યક્રમમાં યોજવામાં આવ્યા છે ત્યારે સોમનાથનો એક યુવાન અયોધ્યામાં મૂર્તિ પ્રતિષ્ઠા માટે પગપાળા જઈ રહ્યો છે. તેની તસવીરો અને વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા. જેમાં લોકોએ કમેન્ટ દ્વારા જયશ્રીરામના નારા લગાવ્યા હતા અને તેની સાથે સાથે યુવકના પણ ખૂબ જ વખાણ કર્યા હતા હાલ તો આ યુવક હિંમતનગરની આજુબાજુ પહોંચવા આવ્યો છે.

ત્યારે તે 22 જાન્યુઆરી સુધીમાં અયોધ્યા પહોંચી અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અનેક દેશ વિદેશના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તથા મંદિરના સાધુ સંતો હાજરી આપશે તેની માટે અત્યારથી જ આમંત્રણ પત્રિકા મોકલી દેવામાં આવી છે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તમામ પ્રકારની વ્યવસ્થા હશે તથા મોટી સંખ્યામાં ભક્તો આ મહોત્સવમાં જોડાશે અને આ ક્ષણના સાક્ષી બનશે અને એક લોકોએ દાન તથા ભેટ સોગાદો આપી રામ મંદિરમાં પોતાનો મહત્વનો ફાળો આપ્યો છે.

વડોદરા શહેરમાંથી 108 ફૂટની લાંબી અગરબત્તી એક ભક્ત દ્વારા બનાવવામાં આવી હતી તથા હજુ એક ફક્ત દ્વારા એક અનોખો દીઓ બનાવવામાં આવ્યો હતો જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ રામ મંદિર મહોત્સવમાં તમામ પ્રકારની વ્યવસ્થા તથા સુવિધા કરવામાં આવી છે. જેથી કરીને કોઈ પણ મહેમાન થતા ભક્તને અવ્યવસ્થા તથા અગવડ ના પડે આ રામ મંદિરમાં ભારતના યશસ્વી વડાપ્રધાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજરી આપશે. તેની સાથે સાથે તે 22 જાન્યુઆરી 2024 ના રોજ ઉપવાસ પણ ધારણ કરશે આ યુવક 17,62 કિલોમીટરનું અંતર કાપી સોમનાથ થી અયોધ્યા પહોંચશે ત્યારે લોકો તેની ભક્તિ શ્રદ્ધા અને ભગવાન શ્રી રામ પ્રત્યે નો વિશ્વાસ જોઈ ખુબ વખાણ કર્યા હતા. આ યુવકને સોમનાથ થી અયોધ્યાના માર્ગમાં ખૂબ જ પ્રેમ જોવા મળ્યો હતો. લોકો પાણી શરબત તથા પોતાના થકી સેવા કરી રહ્યા છે ખરેખર આ યુવક એક સાચો રામભક્ત છે તેવું પણ લોકો કહી રહ્યા છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *