|

નીતા અંબાણીએ દ્વારકાધીશના ચરણોમાં માથું ઝુકાવી લીધા આશીર્વાદ જુઓ કેટલા કરોડોનું કર્યું દાન

સમગ્ર દેશભરમાં અંબાણી પરિવારની વાતો થઈ રહી છે અંબાણી પરિવાર એ થોડા સમય પહેલા જામનગર ખાતે ખૂબ જ ભવ્ય અને શાનદાર રીતે પોતાના દીકરા અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શન નો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. જેમાં અનેક લોકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો.

તેની સાથે સાથે ધીરુભાઈ અંબાણીના વતન ચોરવાડ ખાતે પણ ભવ્ય લોક ડાયરા તથા જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ ગ્રામ વાસીઓએ સાત સહકાર આપી કાર્યક્રમની રોનક વધારી દીધી હતી.

અંબાણી પરિવાર આટલા મોટા પદ પર અમીર હોવા છતાં પણ પોતાના સંસ્કારો સંસ્કૃતિ અને ધર્મને ક્યારેય ભૂલ્યા નથી તે પોતાના દરેક કાર્ય પાછળ ભગવાનનો આભાર માને છે. તેથી જ આજે સમગ્ર અંબાણી પરિવાર સફળતાના દરેક શિખરો પ્રાપ્ત કરી રહ્યા છે તથા લાખો ચાહકોના દિલમાં રાજ કરી રહ્યા છે.

તેથી જ તમામ કાર્યક્રમમાં પૂર્ણ થયા બાદ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી ભગવાન દ્વારકાધીશ નો આભાર માનવા માટે દ્વારકાધીશ મંદિર પધાર્યા હતા. જ્યાં તેમને રાજભોગ માં આરતી નો ભાગ લીધો હતો ત્યારબાદ તેમણે મંદિરના પૂજારી તથા અન્ય સાધુ સંતો સાથે મુલાકાત કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

ત્યારબાદ તેમણે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં માથું ઝુકાવી ધન્યતા નો અનુભવ કર્યો હતો. આ સાથે જ દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ દ્વારા નીતાબેન અંબાણી નું ભવ્ય સ્વાગત તથા સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ તેમને શારદા મઠમાં ચાલતા ભાગવત સપ્તાહનો પણ લહાવો લીધો હતો. નીતાબેન અંબાણીએ કહ્યું હતું કે અમારા ઘરમાં યોજાયેલો પ્રસંગ શાંતિપૂર્વક પૂર્ણ થવાને કારણે અમે ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ લેવા માટે અહીં પધાર્યા છે.

ભગવાન દ્વારકાધીશ તથા આપ સૌ લોકોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું નીતાબેન અંબાણી સાથે સાથે તેનો સમગ્ર અંબાણી પરિવાર ભગવાનનો આભાર માનવાનો ક્યારેય ભૂલતો નથી થોડા સમય પહેલાં જ્યારે ipl માં મુંબઈ ઇન્ડિયન વિજેતા બની ત્યારે પણ નીતાબેન અંબાણીએ ટ્રોફી ભગવાનના ચરણોમાં અર્પણ કરી તેમનો આભાર તથા આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

થોડા સમય પહેલા જ મુકેશભાઈ અંબાણી પણ ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ લેવા માટે દ્વારકાધીશ મંદિર પધાર્યા હતા. તેમને પણ મહા આરતીનો ભાગ લીધો હતો તથા દ્વારકાધીશ મંદિરના ટ્રસ્ટીઓ સાથે પણ વાતચીત તથા મુલાકાત કરી હતી આ બાદ તેમને અનેક સાધુ સંતો તથા મહંતો સાથે પણ મળી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

અંબાણી પરિવાર દ્વારા દ્વારકાધીશ મંદિરમાં 56 ભોગનો ભોગ પણ ભગવાન દ્વારકાધીશ માટે ધરાવવામાં આવ્યો હતો. નીતાબેન અંબાણીની દ્વારકાધીશ મંદિર સાથેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં અનેક લોકોએ લાયક તથા કોમેન્ટ કરી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *