નીતા અંબાણીએ ગોલ્ડન ટેમ્પલમાં જઇને કરી’તી પ્રાર્થના અને સાચી પડી – MI એ પંજાબને તેમના જ હોમ ગ્રાઉન્ડમાં હરાવી

દેશના સૌથી ધનવાન વ્યક્તિ અને રિલાયન્સ ગ્રુપના માલિક મુકેશ અંબાણી ની પત્ની નીતા અંબાણી બુધવારે મોડી રાત્રે પોતાની ટીમ મુંબઈ ઈન્ડિયન્સની ipl 202૩ માં જીતની પ્રાર્થના કરવા માટે સુવર્ણ મંદિર પહોંચ્યા હતા. પોતાની ટીમની જર્સી પહેરીને તે સુવર્ણ મંદિર સંકુલમાં પ્રવેશ્યા.

જ્યારે નીતા અંબાણી સુવર્ણ મંદિરમાં પુજા-અર્ચના કરી રહ્યા હતા ત્યારે MI ટીમ પંજાબ કિંગ્સ સાથે 11 મેચ થી રમી રહી હતી. નીતા અંબાણી MI ટીમ ની જર્સી પહેરીને સુવર્ણ મંદિરના સીધા જ માહિતી કેન્દ્રમાં પહોંચ્યા.

જેમાં તેઓ શીખ વિધિ મુજબ માથું ઢાંકીને દર્શન કરતા જોવા મળી રહ્યા છે તે દરમિયાન ની તસ્વીરો પણ સામે આવી રહી છે. ત્યાર પછી તેમણે સમગ્ર કેમ્પસની પરિક્રમા કરી અને ગુરુ ઘરમાં પણ માથું નમાવ્યું.

ipl 2023 માં mi ટીમની સ્થિતિ એટલી મજબૂત નથી પરંતુ બુધવારે મોડી રાત્રે સુવર્ણ મંદિર પહોંચ્યા બાદ નીતા અંબાણીની અરદાસ કબુલ થઈ, પ્રસાદ ગ્રહણ કર્યા બાદ તેમણે શ્રી અકાલ તખ્ત સાહિબ નતમસ્તક કર્યું. મુંબઈ ઇન્ડિયન એ પંજાબ કિંગ્સને તેના જ હોમ ગ્રાઉન્ડમાં 11 થી હરાવ્યું હતું.

મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીીતી ને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કરી ને 18.5 ઓવરમાં 4 વિકેટે 216 રન બનાવીને મેચ જીતી લીધી હતી. જ્યારે પંજાબે 20 ઓવરમાં 3 વિકેટે 214 રન બનાવ્યા હતા.MI ની ટીમ હવે કિંગ્સ 11 ની ટીમને હરાવીને સાતમા નંબર પર આવી ગઈ છે MI ના નેટ રન રેટમાં પણ સુધારો થયો અને 8 થી વધીને 10 થયા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *