રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા માટે પહોંચ્યો સમગ્ર અંબાણી પરિવાર એરપોર્ટ પર થયું ભવ્ય સ્વાગત

22 જાન્યુઆરી 2024 ની આ પવિત્ર ઘડી હવે નજીક આવી ચૂકી છે ત્યારે હવે ટૂંક જ સમયમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ નિજ મંદિરમાં બિરાજમાન થશે અને લાખો ભારતવાસીઓની આતુરતાનું અંત આવશે. આ ઘડીની દરેક ભારતવાસી લાંબા વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો. આ મંદિર પાછળ અનેક લોકોના બલિદાનોની ગાથા તથા વાર્તાઓ છુપાયેલી છે ત્યારે આજે આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આપણી નજરે અયોધ્યા રામ મંદિરને જોઈ શકીએ છીએ.

આ મંદિરની વિધિના સાક્ષી બનવા માટે અનેક ભારત તથા વિદેશના દિગ્ગજો હાજરી આપવા જઈ રહ્યા છે ત્યારે અનેક લોકો અયોધ્યા રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા માટે પહોંચી ગયા હતા. તેમાં પણ ભારતમાં અમીરો ની લિસ્ટમાં આવતા પ્રથમ ક્રમાંકે એવા અંબાણી પરિવારને પણ રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારે મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા અંબાણી અયોધ્યા એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેની સાથે સાથે સુરક્ષા બંદોબસ્ત નો પણ પૂરતો ખ્યાલ રાખવામાં આવ્યો હતો. આકાશ અંબાણી કુર્તા કોટીમાં જોવા મળ્યા હતા તથા શ્લોકા અંબાણી પણ સંપૂર્ણ ભારતીય પહેરવેશમાં જોવા મળી હતી લોકોએ તેના પહેરવેશના પણ ખૂબ જ વખાણ કર્યા હતા. કારણકે આટલા મોટા અને પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવા છતાં પણ પોતાની સંસ્કૃતિ અને પહેરવેશને ક્યારેય ભૂલ્યા નથી તે જ તેની સફળતાની મુખ્ય ચાવી છે આકાશ અંબાણી અને શ્લોકા અંબાણીની એન્ટ્રી ની સાથે જ લોકોએ જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા તથા તેમની ઝલક જોવા માટે મોટી સંખ્યામાં અયોધ્યા વાસીઓ પણ જોવા મળ્યા હતા.

આ સાથે જ આનંદ પરિમલ અને ઈશા અંબાણી પણ અયોધ્યા એરપોર્ટ પર જોવા મળ્યા હતા તેમને પણ રામ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ઈશા અંબાણી આ આમંત્રણ ને જોઈ ખૂબ જ ખુશીઓ વ્યક્ત કરી હતી તથા આ બંને કપલ પણ પીળા કલરના પહેરવેશ માં જોવા મળ્યા હતા.

તેમનું પણ ઢોલ નગારા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું લોકોએ જોડ જોરથી જય શ્રી રામના નારા લગાવ્યા હતા ઇશા અંબાણી તથા પરિમલ એ અયોધ્યા સમિતિ તથા સુરક્ષા વ્યવસ્થા નો પણ ખુબ ખુબ આભાર માન્યો હતો તથા તેના સ્વાગત માટે આવનારા તમામ વ્યક્તિઓનો પણ ખૂબ આભાર માન્યો હતો.

તેની સાથે સાથે તેણે અયોધ્યામાં આવેલા મંદિરો તથા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ઈશા અંબાણી પણ મુકેશ અંબાણીની પુત્રી હોવા છતાં પણ પોતાની સાધગી ક્યારે ભૂલી નથી તેથી તે પણ સંપૂર્ણ ભારતીય પહેરવેશમાં જોવા મળી હતી તે હંમેશા સાદગી પૂર્વક જીવન જીવવાનું જ પસંદ કરે છે. હાલમાં તો આકાશ અંબાણી શ્લોકા અંબાણી પરિમલ અને ઇશા અંબાણી અયોધ્યા એરપોર્ટ પર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે જોવા મળ્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *