વાહ દિલ જીતી લીધું!! અનંત રાધિકાના લગ્ન પ્રસંગ નિમિત્તે અંબાણી પરિવારએ ગરીબ અને જરૂરિયાતમંદ માટે 40 દિવસ ત્રણેય ટાઈમ ભોજનની કરી વ્યવસ્થા જુઓ વાયરલ વિડિયો

આજે સમગ્ર દુનિયામાં અંબાણી પરિવારના લગ્નની ચર્ચાઓ લોકોની વચ્ચે ખૂબ જ વધારે પ્રમાણમાં થઈ રહી છે તથા સોશિયલ મીડિયામાં પણ અનેક જગ્યાએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના લગ્નની તસવીરો અને વિડિયો વાયરલ થઈ રહ્યા છે. અંબાણી પરિવાર ના લગ્ન માટેના ફંકશનનો 3 જુલાઈથી સતત ચાલી રહ્યા છે જેમાં અલગ અલગ કાર્યક્રમ અને વિધિ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્નના શુભ પ્રસંગ ના માહોલ વચ્ચે અંબાણી પરિવાર એ એક સેવાનું કાર્ય કરી દરેક લોકોના દિલ જીતી લીધા છે.

અંબાણી પરિવારે તેમના ઘર આંગણે એન્ટિલિયામાં 40 દિવસ માટે નિસ્વાર્થ ભાવે અન્ન સેવા ના કાર્યની શરૂઆત કરી છે. આ સેવા કાર્યના માધ્યમથી મુંબઈના દરેક ગરીબ અને સામાન્ય પરિવારને 40 દિવસ માટે ત્રણેય ટાઈમ ભોજન આપવામાં આવશે. 5 જુલાઈથી 15 જુલાઈ દરમિયાન આ અન્ન સેવામાં 50,000 થી વધારે લોકોને ભોજન મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે તમામ પરિવારજનો ભોજનનો સ્વાદિષ્ટ સ્વાદ માણી ખૂબ જ ખુશ થતા જોવા મળ્યા હતા તથા તેમને અંબાણી પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો અને અનંત અને રાધિકાને લગ્નજીવન માટે આશીર્વાદ પાઠવ્યા હતા.

ખરેખર અંબાણી પરિવાર એ આ સેવાના કાર્યની શરૂઆત કરી તમામ લોકોના દિલ જીતી લીધા છે. મુકેશ અંબાણીએ પોતાના પૈસાનો ઉપયોગ માત્ર દીકરાના લગ્ન પાછળ નહીં પરંતુ ગરીબ લોકોની સેવા કાર્ય માટે પણ ખર્ચ કર્યા છે. આજ મુખ્ય કારણ છે કે અંબાણી પરિવાર અને તેમની રિલાયન્સ કંપની સમગ્ર દુનિયામાં આજે સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી રહી છે સાથે દેશ દુનિયામાં આજે એક અલગ અને નામના ઉભી કરી છે જે આપણા તમામ ગુજરાતવાસીઓ માટે ખૂબ જ ગર્વની વાત છે.

આ માત્ર પ્રથમ વખત નથી પરંતુ અનંત અંબાણીના લગ્ન પહેલા અંબાણી પરિવાર એ જરૂરિયાતમંદ માટે સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા ત્યારબાદ નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ દીકરીઓને વિદાય કરી મોંઘેરી ભેટ આપી હતી અને તેમના આશીર્વાદ શુભકામના અને શુભેચ્છા પાઠવી હતી.

આ પરિવાર અવારનવાર આવા અનેક સેવાના કાર્યો કરતો રહે છે આ કારણથી જ તેમના જીવનમાં સતત આગળ વધી આજે દરેક લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે અનંત અને રાધિકા 12 જુલાઈના રોજ મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે આ લગ્નને વધુ યાદગાર બનાવવા માટે અંબાણી પરિવાર ખૂબ જ લાંબા સમયથી તૈયારી કરી રહ્યો છે પરંતુ હાલમાં તો આ સેવા કાર્યની ચર્ચા સમગ્ર દેશ દુનિયામાં થતી જોવા મળે છે અને તમામ લોકોએ સોશિયલ મીડિયામાં સમાચાર જોતાની સાથે જ મન ભરીને વખાણ કર્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *