સેમી ફાઇનલમાં ભારતની હાર બાદ રડી પડ્યો રોહિત શર્મા – જુઓ વિડિયો

ટીમ ઇન્ડિયાનું નસીબ ફરી એક વાર છેતરી ગયું. સેમી ફાઇનલ મેચમાં પ્રથમ બેટિંગ કરતાં ભારત 168 રન બનાવ્યા હતા. પરંતુ ઇંગ્લેન્ડના બેટ્સમેન હોય એવી ધુલાઈ કરી કે ભારતનો એક પણ બોલર એક પણ વિકેટ લઈ ન શક્યો. ઇંગ્લેન્ડ આ મેચ 10 વિકેટથી જીત્યું હતું.એલેક્સ હેલ્સે 86 અને જોસ બટલરે 80 રન બનાવ્યા હતા.

સેમી ફાઇનલમાં ભારતની દર્દના હાથ થયા બાદ રોહિત શર્મા રડી પડ્યો હતો.

ટી20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમની સફર પૂરી થઈ ગઈ છે. સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડના હાથે 10 વિકેટથી હાર બાદ ભારતીય ટીમ આ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે, મેચ બાદ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ભાવુક થઈ ગયો હતો. રોહિત શર્મા ડગઆઉટમાં ભાવુક થતો જોવા મળ્યો હતો, જ્યાં તે પોતાના આંસુ સાફ કરી રહ્યો હતો.

વિરાટ કોહલી પણ મેદાનમાં નિરાશ જોવા મળ્યો હતો. 10 વિકેટની દર્દનાક હાર બાદ વિરાટ કોહલી મેદાનમાં નિરાશ જોવા મળ્યો હતો, તેણે કેપ વડે પોતાનું મોઢું પણ છુપાવ્યું હતું. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા પહેલીવાર રોહિત શર્માની કેપ્ટન્સીમાં ICC ઈવેન્ટમાં રમી રહી હતી, પરંતુ અહીં ટીમ સાથે સેકંડો ચાહકોનું દિલ તૂટી ગયું હતું. ભારતની સફરનો અંત આવ્યો અને ફરી એકવાર અમે સેમિફાઇનલમાં હારી ગયા. જો આ મેચની વાત કરીએ તો પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 168 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઈંગ્લેન્ડે 10 વિકેટે મેચ જીતી લીધી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *