the roof of the sanctum sanctorum of Ayodhya Ram temple started dripping wate

ચોમાસાની શરૂઆતમાં જ અયોધ્યા રામ મંદિરના ગર્ભગૃહની છતમાં પાણી ટપકતા થઈ ગયા મુખ્ય પુજારીએ બાંધકામ પર ઉઠાવ્યા અનેક સવાલ

આપણે સૌ લોકો જાણીએ છીએ કે 22 જાન્યુઆરી 2024 ના રોજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ લાંબા સમયગાળા બાદ પોતાના નીજ મંદિર અયોધ્યામાં બિરાજમાન થયા હતા. આ સાથે જ તમામ ભારતના લોકોને આતુરતાનો અંત આવ્યો હતો અને તમામ લોકોએ ભગવાન શ્રીરામનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પરંતુ આ વચ્ચે એક ખાસ ખબર સામે આવી છે જેને સાંભળી ચારેકોર હોબાળો મચી ગયો છે.

the roof of the sanctum sanctorum of Ayodhya Ram temple started dripping wate

અયોધ્યા મંદિરમાં બિરાજમાન થયેલા ભગવાન શ્રીરામની મૂર્તિ પર ચોમાસાની શરૂઆત સાથે જ મંદિરની ઇમારતો માંથી પાણી ટપકી રહ્યું છે. આ વાત મંદિરના પૂજારી સતયેન્દ્ર દાસ એ કરી હતી. આ વાત સાંભળી તમામ રામ ભક્તો ખૂબ જ ગુસ્સે ભરાયા હતા. અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટ દ્વારા આ ફરિયાદની રજૂઆત કરવામાં આવી હતી જેથી ચોમાસાની શરૂઆત પહેલા જ આ સમસ્યા અંગે નિવારણ મળી શકે.

the roof of the sanctum sanctorum of Ayodhya Ram temple started dripping wate

આ મંદિરના પૂજારીએ કહ્યું હતું કે જે જગ્યા પર ભગવાન શ્રીરામની મૂર્તિ છે ત્યાં જ ચોમાસાની શરૂઆત સાથે જ પાણી ટપકવા લાગ્યું હતું જેથી મૂર્તિને પણ નુકસાન પહોંચવાની શક્યતા છે. સતત પાણી ટપકવાને કારણે મંદિરમાં પણ ખૂબ જ પાણી ભરાઈ ગયું હતું. પૂજારી એ કહ્યું હતું કે બાંધકામ વખતે કયા કયા ખામીઓ છે અને ક્યાંથી પાણી ટપકી રહ્યું છે તેની ચકાસણી થવી જોઈએ મંદિરમાં વરસાદ આવતાની સાથે જ સતત પાણી ટપકતું રહે છે અને મંદિરમાં પાણીના નિકાલની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી તેથી મંદિરમાં પાણી ભરાયેલું રહે છે.

the roof of the sanctum sanctorum of Ayodhya Ram temple started dripping wate

પૂજારીએ કહ્યું હતું કે આ સમસ્યા અંગે તાત્કાલિક નિવારણ લાવવાની જરૂર છે.જો હવે વરસાદનું પ્રમાણ વધશે તો પૂજા કરવી પણ કદાચ અશક્ય બની શકે છે. પૂજારીના આ નિવેદન બાદ રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું હતું કે હું હાલમાં અયોધ્યામાં છું અને મેં મારી નજરે પહેલા માળેથી પાણી પડતું જોયું છે. અમે તાત્કાલિક આ સમસ્યાનું નિવારણ લાવીશું. હાલમાં તમામ ચકાસણીઓ શરૂ કરી દેવામાં આવી છે. અને સાથે સાથે પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થા પર પણ પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે જેથી પાણીનો નિકાલ પણ શક્ય બની શકે અને વહેલી તકે આ ટપકતા પાણીની સમસ્યા માંથી પણ બહાર આવી શકાય.

the roof of the sanctum sanctorum of Ayodhya Ram temple started dripping wate

આ બાદ તેઓએ વધુ જણાવતા કહ્યું હતું કે મંદિરના ગર્ભગૃહમાં કોઈ ગટર રાખવામાં આવી નથી. કારણ કે પાણીના નિકાલ માટે ઢાળ રાખવામાં આવ્યો છે જેથી સરળતાથી પાણી નીકળી શકે. મંદિરના ગર્ભગૃહમાં કોઈપણ પાણી જાતે સોષાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં તો આ સમસ્યા અંગે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી હવે ટૂંકા સમયમાં આ સમસ્યા ઉપર વધારે ધ્યાન આપી ચોમાસાની શરૂઆત પહેલા જ સમસ્યાનું નિરાકરણ આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *