|

પિતા એકલા રહેતા હોવાથી પુત્ર એ પિતાની 85 વર્ષની ઉંમરમાં 65 વર્ષની મહિલા સાથે કરાવી દીધા લગ્ન, ઢોલ નગારા શરણાઈ સાથે ગામમાં નીકળી શાનદાર જાન જુઓ વાયરલ તસવીરો

આજના સમયમાં દરેક વ્યક્તિ લગ્ન કરવાની ઈચ્છા ધરાવતો હોય છે આપણા ભારતીય સંસ્કૃતિમાં લગ્નએ પવિત્ર બંધન માનવામાં આવે છે તેથી દરેક લોકો લગ્નના પવિત્ર બંધનમાં બંધાય પોતાના નવા જીવનની શરૂઆત કરતા હોય છે. પરંતુ ઘણા લોકોની વધારે ઉંમર થઈ ગઈ હોવા છતાં પણ લગ્ન થતા નથી તેથી તે વ્યક્તિ પોતાના જીવનમાં એકલતા મહેસુસ કરે છે પરંતુ આજે આપને એક એવો કિસ્સો બતાવવા જઈ રહ્યા છીએ કે એ જોઈને તમને લાગશે કે લગ્ન કરવાની કોઈ ઉંમર હોતી નથી.

આ ઘટનામાં 80 વર્ષના વૃદ્ધ દાદાએ 65 વર્ષની મહિલા સાથે લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. ખરેખર આટલી ઉંમરે દાદાએ શા માટે લગ્ન કર્યા છે તે પાછળનું કારણ જાણી તમે પણ થોડીવાર માટે વિચારમાં પડી જશો. આ કિસ્સો અંજન ગાવ સુરજી તાલુકાના ચીંચોલી રહીમપુર માં બન્યો હતો.

આ નાનકડા ગામમાં રહેતા વિઠ્ઠલ ખાંડેની ની પત્નીનું ત્રણ વર્ષ પહેલા અવસાન થયું હતું આ બાદ ચાર પુત્ર અને પુત્રી સાથે સાથે પૌત્ર અને પુત્રીની જવાબદારી પણ તેમના ખંભે આવી ગઈ હતી.આ બાદ એમના પુત્ર એ પિતાની એકલતાને ધ્યાનમાં રાખી ફરીવાર લગ્ન કરવાનું વિચાર્યું હતું. આપણે સૌ લોકો જાણીએ છીએ કે વૃદ્ધાવસ્થામાં વ્યક્તિને સૌથી વધારે જીવનસાથી ની જરૂર પડે છે આ સમયમાં પુત્રોએ સારો વિચાર કરી પોતાના પિતાને ફરીવાર લગ્ન કરવા માટે પ્રેરિત કર્યા હતા.

વિઠ્ઠલભાઈ ના પુત્રો અને પુત્રી એ ખૂબ જ મહેનતથી કન્યાની શોધ કરી તેમના પિતાના ફરીવાર ખૂબ જ ધામધૂમથી ઢોલ નગારા શરણાઈ સાથે લગ્ન કરાવ્યા હતા.આ લગ્ન ની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી જેમાં લોકોએ પોતાના અલગ અલગ મંતવ્યો દર્શાવ્યા હતા. આજના ઘોર કળિયુગમાં જ્યારે પુત્ર પોતાના પિતાને ઘરની બહાર કાઢી મૂકે છે ત્યારે આ ઉંમરમાં પુત્ર એ પોતાના પિતા માટે વિચાર કરી ફરીવાર લગ્ન કરાવી પિતાને ખુશીઓ આપી હતી.

આ લગ્ન 8 મહિના રોજ વિઠ્ઠલભાઈ ના ગામમાં જ થયા હતા જેમા તેના સગા સંબંધીઓના ગ્રામ વાસીઓ ખૂબ મોટી સંખ્યામાં લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે બંને લોકોએ વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કરી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. હાલમાં આ લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *