આ કપલે તમામ હદો પાર કરી…! ગાઢ જંગલની વચ્ચે આ કપલે એકપણ કપડાં પહેર્યા વગર ફક્ત સફેદ ચાદર ઓઢીને કરાવ્યું પોસ્ટ-વેડિંગ ફોટોશુટ, જુઓ તસવીરો

આજે સોશિયલ મીડિયા નો જમાનો ચાલી રહ્યો છે. લોકોની ઈચ્છા હોય છે કે તેઓ સોશિયલ મીડિયા પર હંમેશા વાયરલ રહે અને તેના લીધે સોશિયલ મીડિયા પર કોમ્પિટિશન વધતી જાય છે. હાલ એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે સોશિયલ મીડિયા પર લોકો ઉતરતી કક્ષાના વિડીયો અને તસવીરો અપલોડ કરવા લાગે છે. જેમાં તેને લાઇક મળે છે પરંતુ અવારનવાર આ તસવીરો એક અલગ કારણના લીધે વાયરલ થાય છે. તેના લીધે અમુક લોકોની ભાવનાઓને પણ ઠેસ પહોંચે છે.

પરંતુ બીજી બાજુ ઘણા લોકો આવા વીડિયોને પસંદ કરે છે. હાલ લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે લોકો ફોટોશૂટ અથવા વીડિયોના માધ્યમથી પોતાના જીવનની એક એક ક્ષણ જીવતી રાખવાની પ્રવૃત્તિ કરતા હોય છે. દરેક વ્યક્તિના જીવનમાં લગ્ન એક મજેદાર સમય હોય છે. ઘણા લોકો પ્રિ વેડિંગ ફોટોશૂટ અને પોસ્ટ વેડિંગ ફોટોશૂટ પણ કરાવતા હોય છે.

પ્રી વેડિંગ ફોટોશૂટ માટે કપલ સારી સારી જગ્યા પસંદ કરે છે અને રોમેન્ટિક પોઝમાં એકબીજાની તસવીરો પડાવે છે. તેના માટે અલગ અલગ કપડા અને થીમ નો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આ બધાની વચ્ચે હાલમાં જ એક કપલે પોસ્ટ વેડિંગ ફોટોશૂટ કરાવ્યું હતું.

જેમાં આ કપલે બધી જ મર્યાદાઓને ઓળંગી લીધી અને કેરળના જંગલમાં એકબીજાની સાથે અર્ધનગ્ન અવસ્થામાં ફોટોશૂટ કરાવ્યું. આ ફોટોશૂટ થોડી કલાકોમાં એટલું વાયરલ થઈ ગયું હતું કે ઘણા લોકો આ તસવીરો ઉપર મોટી સંખ્યામાં નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા. લોકો આ કપલ ને હાલ ટ્રોલ પણ કરી રહ્યા છે. જો કે આ કપલને તે બાબતની કોઈ ચિંતા હતી નહીં. આ કપલે સ્પષ્ટ જણાવ્યું હતું કે તેઓ આ ફોટોશૂટને સોશિયલ મીડિયા ઉપરથી હટાવશે નહીં.

લોકડાઉનમાં ઋષિ અને લક્ષ્મી ના લગ્ન થયા હતા. કોરોનાને કારણે તેઓએ ખૂબ જ ઓછા સંબંધોની હાજરીમાં લગ્ન કરવા પડ્યા હતા. તેથી તેઓ લગ્નજીવનનો આનંદ માણી શક્યા ન હતા. ત્યારે હાલ તેમણે લગ્નને વધુ યાદગાર બનાવવા માટે અનોખા પોસ્ટ વેડિંગ શૂટ કરવાનું નક્કી કર્યું અને આ કોન્સેપ્ટ તેમને ઇન્ટરનેટ પરથી મળ્યો હતો.

તેણે એક પોતાનો ફોટોગ્રાફર મિત્ર શોધ્યો અને ચાના બગીચામાં ફોટો શૂટ કરાવ્યું. આ ફોટોશૂટમાં બંને અલગ અલગ પોઝમાં બ્લેન્કેટની અંદર એકબીજાને ગળે લગાવતા જોવા મળે છે. ઘણા લોકો કહે છે કે આ તસવીરો આપણી ભારતીય સંસ્કૃતિ ઉપર શોભતી નથી.

જો આ ફોટોશૂટ કરવાનો નિર્ણય અમારો અંગત નિર્ણય છે અને આ તસવીરો વાયરલ કરવી એ પણ અમારો અંગત નિર્ણય છે. તેથી આ કપલે સ્પષ્ટ કહ્યું હતું કે અમે આ ફોટો સોશિયલ મીડિયા ઉપરથી હટાવશું નહીં. જોકે આવું ફોટો શૂટ કરવાથી આ કપલ ચર્ચામાં આવી ગયું છે.

આ ફોટોશૂટ પાછળનો હેતુ લગ્ન બાદ પતિ પત્ની વચ્ચેની આત્મીયતાને કેપ્ચર કરવાનો અને યાદગાર બનાવવાનો હતો. આથી તેનો મતલબ એ નથી કે કોઈની સામાજિક ભાવના ને ઠેસ પહોંચાડી અને આ તસવીરોને હટાવશો તેવું માની લેવું. આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ઘણા લોકો લક્ષ્મી અને ઋષિ વિશે ખરાબ કોમેન્ટસ કરી રહ્યા હતા. જેથી ગભરાઈને તેના પરિવાર રે અને તેના મિત્રોએ આ તસ્વીરો ડીલીટ કરવાનું પણ કહ્યું હતું.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *