|

બોલીવુડ ની અભિનેત્રી યામી ગૌતમએ આપ્યો બાળકને જન્મ, નવા બાળકનું એવું નામ રાખ્યું કે ચારેકોર ધૂમ મચાવી દીધી જાણો શું છે આ વિશિષ્ટ નામ

હાલ બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ માંથી ખુશીના સમાચાર આવ્યા છે જેને સાંભળી ચાહકો પણ ખૂબ ખુશ થઈ ગયા છે. બોલીવુડની સુંદર અભિનેત્રી યામી ગૌતમ અને ફિલ્મ નિર્દેશક આદિત્ય ના ઘરે નવા મહેમાનનું આગમન થયું છે. યામી ગૌતમે આ સમાચાર પોતાના સોશિયલ મીડિયા ના માધ્યમ દ્વારા તમામ ચાહકોને આપ્યા હતા અને કહ્યું હતું કે અમારા ઘરે લડ્ડુ ગોપાલ નો જન્મ થયો છે આ સાથે સાથે યામી ગૌતમના પુત્ર ના નવા નામ એ પણ ચારેકોર ધૂમ મચાવી દીધી છે.

યામી ગૌતમ આટલી મોટી અભિનેત્રી હોવા છતાં પોતાના સંસ્કાર સંસ્કૃતિ અને ધર્મને ક્યારે ભૂલી નથી આજ કારણથી તે આજે લાખો ચાહકોના દિલમાં રાજ કરી રહી છે. ભારતીય કથાઓ માંથી પ્રેરિત થઈ માતા અને પુત્રની તસવીર શેર કરતાં લખ્યું હતું કે અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે એક નાનો રાજકુમાર અમારા ઘરે આવ્યો છે કે જેમનું નામ વેદવિદ છે. અક્ષય તૃતીયાના શુભ દિવસે અમારા ઘરે બાળકનો જન્મ થયો છે. આ સાથે સાથે અમને તમામને ગર્વ અપાવ્યું છે અમારા બાળકને આશીર્વાદ આપો. આ પુત્રનું નામ ખૂબ જ વિશિષ્ટ રાખ્યું છે આ પરથી કહી શકાય કે આજે પણ બંને લોકો પોતાના સંસ્કારો ને હજુ ભૂલ્યા નથી.

આ નામનો અર્થ એ થાય છે કે વેદોમાં પારંગત વ્યક્તિ એટલે કે વેદ માંથી ઉપદેશ લઈ બાળકનું નામ રાખ્યું છે. બાળકના સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા ની સાથે જ તમામ લોકોએ અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી સાથે સાથે સંસ્કારોના પણ ખૂબ વખાણ કર્યા હતા. ઘણા લોકોએ કહ્યું હતું કે અભિનેતા અને અભિનેત્રીઓ આવા નામ રાખે તે ખરેખર ખૂબ ગર્વની અને સારી વાત છે તો ઘણા લોકોએ કહ્યું હતું કે સંસ્કાર હોય તો આવા હાલમાં તો ચારેકોર આ નામની ચર્ચા થઈ રહી છે.

યામી ગૌતમ પણ પોતાના પતિ સાથે અનેક અવારનવાર તસ્વીરો શેર કરતી હોય છે પરંતુ આ તમામ તસવીરોમાં પણ તેઓ સંપૂર્ણ ભારતીય પહેરવેશ અને સંસ્કૃતિમાં જોવા મળે છે આ કપલ ને સંસ્કારી કપલ તરીકે પણ ઓળખવામાં આવે છે હાલમાં પુત્રના આવા નામ રાખી ચાહકોના દિલમાં એક વિશિષ્ટ સ્થાન મેળવી લીધું છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *